ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત વિસ્તારોમાં ઉભરાતી ગટરથી નગરજનો ત્રસ્ત

  • November 18, 2023 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા શહેરના પોસ કોમર્શિયલ વિસ્તાર જોધપુર ગેઈટથી નગર ગેઈટ સુધીના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી નિયમિત રીતે ગટર છલકાવાના બનાવો સામાન્ય બની ગયા છે. આ માર્ગ પર અનેક મોટી દુકાનો, મેડિકલ સ્ટોર, શોરૂમ વિગેરે આવેલા છે. ત્યારે નગરપાલિકાની દેખીતી બેદરકારી વચ્ચે અહીં કાયમી ઉભરાતી ગટરોથી વાહનચાલકોને તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સવારના પહોરમાં માર્ગ પર ગટરના વહેતા પાણી પર ચાલવા કે વાહનો ચલાવવાના આ કાયમી પ્રશ્નથી આ વિસ્તારમાં અવર-જવર કરતા રાહદારીઓ તથા દુકાનદારોમાં પાલિકા તંત્ર સામે રોષની લાગણી જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application