મનપા દ્વારા પાનવાડી ખાતે પ્રજાસત્તાક પર્વની કરાઈ ઉજવણી

  • January 26, 2024 04:10 PM 

પ્રજાસત્તાક પર્વ દિવસ નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પાનવાડી એસટી બસ સ્ટેન્ડ ખાતે આવેલી અટલ બિહારી બાજપાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ૭૫ માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી ભાવનગર શહેરમાં કરવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકા દ્વારા પણ ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મનપા દ્વારા એસટી બસ સ્ટેન્ડ પાનવાડી ખાતે આવેલી શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે પાનવાડી ભાવનગર ખાતે મેયર ભરતભાઈ બારડ વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા સહિતના મહાનુભાવોઓ, પદાધિકારીઓ,મનપા કમિશનર એન.વી.ઉપાધ્યાય સહિતના અધિકારીઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં યોજવામાં યોજાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application