મવડીના કણકોટ રોડ પર પાંચ દિવસ પહેલા જયંતી સરધારા પર થયેલા હત્પમલામાં જે તે સમયે પીઆઈ સંજય પાદરીયા સામે હત્યાના પ્રયાસની ભારેખમ કલમ હેઠળ ગુનો નોંંધી દેવામાં આવ્યો હતો પરંતુ હવે પોલીસની તપાસમાં નવો વણાંક આવ્યો છે. પોલીસે જ કાચુ કાપ્યું હોય તે રીતે સ્વીકાયુ છે કે, પાદરીયા સામે હત્યાના પ્રયાસની કલમનો ગુનો બનતો નથી અને તે કલમ હટાવવા માટે કોર્ટમાં રીપોર્ટ કરવામાં આવશે. બનાવ સંદર્ભે જે તે સમયે ખાનગી હોસિપટલમાં દાખલ થયેલા જયંતિ સરધારાનું એસીપી ચૌધરી તથા ટીમે નિવેદન નોંધ્યું હતું અને સરધારાએ કહેલી વાત મુજબ પીઆઈ પાદરીયાએ રિવોલ્વર જેવું હથિયાર માથામાં મારીને ઈજા પહોંચાડી ધમકી આપી હતી. સરધારાના આ નિવદેનનના આધારે પીઆઈ પાદરીયા સામે હત્યાના પ્રયાસ અને ધમકી આપ્યા સહિતના આરોપ હેઠળ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી લેવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે વિડીયો વાઈરલ થવા લાગતા અને આ વિડિયોમાં જયંતિ સરધારાએ પણ પાદરીયાને માર માર્યાનું દેખાતું હતું અને અન્ય વિડિયોમાં પાદરીયાના હાથમાં કોઈ હથિયાર ન હોવાનું સ્પષ્ટ્ર થતું હતું. આ સાથે ખોડલધામ અને ખુદ પીઆઈ પાદરીયા દ્રારા પણ એવી પોલીસ સમક્ષ લેખિત રજુઆત કરાઈ હતી કે, જે રીતે કલમ લગાવવામાં આવી છે તે ખોટી છે અને તટસ્થ રીતે તપાસ કરીને આ કલમ હટાવવામાં આવે. આજે આ બાબતે ડીસીપી જગદિશ બાંગરવાએ મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે, સમગ્ર બનાવમાં સ્વતત્રં સાહેદોના નિવેદન લેવાયા, સીસી ટીવી ફત્પટેજ ચેક કરવામાં આવ્યા અને ઈજા અંગેના મળેલા મેડિકલ સર્ટીફીકેટને ધ્યાને લઈને બીએનએસની કલમ ૧૦૯ દુર કરવા માટે અને ૧૦૨નો ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે. જે તે સમયે ઈજાગ્રસ્તે જે કહ્યું તે મુજબ પોલીસે ફરજ મુજબ ફરિયાદ લેવી પડે પરંતુ હવે તપાસમાં હત્યાનો પ્રયાસ ન હોવાનું ખુલતા આ કલમ દૂર કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech