હજારો લોકોના રીઅલ-ટાઇમ ડેટાના આધારે અપોલો હોસ્પિટલ્સ દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પશ્ચિમી દેશોની સરખામણીમાં ભારતમાં લોકો પ્રમાણમાં નાની ઉંમરે કેન્સરનો ભોગ બની રહ્યા છે. હેલ્થ ઓફ ધ નેશન શીર્ષક હેઠળના અહેવાલમાં દેશમાં કેન્સરના કેસોમાં સૌથી ઝડપી વૃદ્ધિને પ્રકાશિત કરતી વખતે એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં કેન્સર નિદાનની સરેરાશ ઉંમર યુએસ, યુકે અને ચીનની સરખામણીએ ઓછી છે.
ડેટા અનુસાર, ભારતમાં બ્રેસ્ટ કેન્સરના નિદાનની સરેરાશ ઉંમર 52 વર્ષ છે જ્યારે યુએસ અને યુકેમાં 63 વર્ષ છે, જ્યારે ફેફસાના કેન્સર માટે ભારતમાં 59 વર્ષ તો પશ્ચિમમાં તે 70 વર્ષની આસપાસ છે. આમ છતાં દેશમાં કેન્સરની તપાસ ખૂબ જ ઓછી છે. જ્યારે અમેરિકામાં બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનીંગ દર 82% છે, સામે ભારતમાં માત્ર 1.9% સ્ક્રીનીંગ થઈ રહી છે.
આ મુજબ કેન્સર થવાના મુખ્ય કારણોમાં ધૂમ્રપાન, તમાકુ અને આલ્કોહોલનું સેવન, સ્થૂળતા, પોષક તત્વોનો અને કસરતના અભાવ સમાવેશ થાય છે. દેશમાં સ્થૂળતાનો દર 2016માં 9%થી વધીને 2024માં 20% થવાની ધારણા છે. ભારતમાં સ્તન કેન્સરની તપાસ દર 1.9% છે જ્યારે અમેરિકામાં તે 82% છે, બ્રિટનમાં તે 70% છે અને ચીનમાં તે 23% છે. ભારતમાં સવર્ઇિકલ કેન્સર ડિટેક્શન રેટ 0.9% છે, જ્યારે યુએસએમાં તે 73%, યુકેમાં 70% અને ચીનમાં 43% છે.
ભારતીયોમાં આ કેન્સરના કેસ વધુ
સ્ત્રીઓને સ્તન, સવર્ઇિકલ અને અંડાશયનું કેન્સર હોય છે. જયારે પુરુષોને ફેફસાં, મોં અને પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. એક નવા અભ્યાસ મુજબ ભારતમાં 31 થી 40 વર્ષની વયજૂથમાં કોલોન કેન્સરના કેસમાં વધારો થયો છે. રિપોર્ટમાં 18 થી 25 વર્ષની વયજૂથમાં સૌથી વધુ ડિપ્રેશન જોવા મળ્યું હતું. એવું નોંધવામાં આવ્યું છે કે દર પાંચમાંથી એક વ્યક્તિ ડિપ્રેશનથી પીડિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech