શીંગડા ગામે તળાવને નુકશાન થાય તે પહેલા થયુ સમારકામ

  • August 31, 2024 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના શિંગડા ગામે તળાવની નુકસાની અટકાવી પાણીની જાળવણી માટે સમારકામ કરાયું હતું.
પોરબંદર જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણીની આવક જિલ્લાના સમગ્ર ગ્રામ્ય પંથકમાં થઈ હતી. પોરબંદર તાલુકાના શિંગડા ગામે પણ અતિ ભારે વરસાદને કારણે પ્રચંડ પાણીનો પ્રવાહ આવ્યો હતો.
 શિંગડા ગામે ખોખરા તળાવને નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી હતી. પાણીના જથ્થાની જાળવણી અને સમારકામ કરવાની જિલ્લા વહીવટીતંત્રને જ‚રીયાત સર્જાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ સિંચાઈ વિભાગ દ્વારા ખોખરા તળાવને થતી નુકસાની અને પાણીના જથ્થાની જાળવણી માટે સમારકામની કામગીરી કરવામાં આવી હતી અને પૂરના પાણીને ડાયવર્ટ કરી નિકાલ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application