પ્રખ્યાત યાત્રાઘામ પુરીમાં આવેલા જગન્નાથ મંદિરના રત્ન ભંડારનું સમારકામ ૧૬ મીથી શ કરવામાં આવે તેવી શકયતા હોવાની જાહેરાત કરવામાં આવી છે અને અધિકારીઓએ જણાવ્યું છે કે 'રત્ન ભંડાર' સમારકામ મુદ્દે છત્તીસ નિજોગા દરમિયાન ચર્ચા કરવામાં આવશે તેમજ સૂચિત રીપેરીંગ માટે પુરાતત્ત્વ વિભાગે મંદિરની નીતિ સબ–કમિટી પાસેથી મંજૂરી માંગી લીધી છે.
એએસઆઈ અધિક્ષક ડીબી ગરનાઈકે વધુમાં જણાવ્યું હતું કે અમને ટાઇમ સ્લોટ મળ્યા પછી, અમે કામ શ કરીશું, મોટે ભાગે તે ૧૬ ડિસેમ્બરથી શ થાય તેવી સંભાવનાઓ છે.અગાઉ, ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગે હૈદરાબાદ સ્થિત નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્િટટૂટની મદદથી ૧૨મી સદીના મંદિરના 'રત્ન ભંડાર' (તિજોરી)નો જીપીઆર–જીપીએસ સર્વે હાથ ધર્યેા હતો અને સંસ્થાએ ગયા મહિને તેના સર્વેના તારણો ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગને સુપરત કર્યા હતા.સર્વેના અહેવાલ મુજબ અને મંદિર મેનેજમેન્ટની મંજૂરીથી સમારકામ હાથ ધરવામાં આવશે. પુરીના કલેકટર સિદ્ધાર્થ શંકર સ્વૈને જણાવ્યું હતું કે
પુરીના જગન્નાથ મંદિરના સેવકોના સઘં દ્રારા ૧૦ ડિસેમ્બરે નિર્ધારિત છત્તિસા નિજોગા દરમિયાન 'રત્ન ભંડાર' સમારકામના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે,
કાયદા પ્રધાન પૃથ્વીરાજ હરિચંદને જણાવ્યું હતું કે રાય સરકારે આગામી જાન્યુઆરીના અતં સુધીમાં મંદિરની અંદર બે અસ્થાયી તિજોરીઓમાં સંગ્રહિત વેલરી અને આભૂષણોની ઇન્વેન્ટરી પૂર્ણ કરવાનું લય રાખ્યું છે.અમે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગને ટૂંક સમયમાં સમારકામનું કામ પૂર્ણ કરવા કહ્યું છે. તે પછી, અમે ફરીથી કામચલાઉ તિજોરીમાંથી 'રત્ન ભંડાર' માં ઘરેણાં પુન:સ્થાપિત કરીશું અને પછી ઇન્વેન્ટરીનું કામ હાથ ધરવામાં આવશે.નોંધનીય છે કે , 'રત્ન ભંડાર' ૪૬ વર્ષ પછી કીમતી ચીજવસ્તુઓની ઇન્વેન્ટરી અને તેના માળખાના સમારકામ માટે આ વર્ષે જુલાઈમાં ફરીથી ખોલવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચાર દિવસમાં કામ કરતી વખતે શ્રમિકના અકસ્માતે મૃત્યુ થવાની ત્રીજી ઘટના
May 14, 2025 03:14 PMયુવતીને ઘરની બહાર બોલાવી છેડતી, હડધુત કરવાના ગુનાના ૩ આરોપીના જામીન મંજુર
May 14, 2025 03:14 PMજસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ બન્યા ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ, જાણો તેમના વિશે બધું જ
May 14, 2025 03:13 PMભાવનગરમાં ઈ-બસ સેવા માટે ૧૧ માસમાં માત્ર ૪૫ % જ કામ થયું
May 14, 2025 03:11 PMસિટી બસ-બીઆરટીએસની ૨૩૪માંથી ૧૫૨ બસ હજુ બંધ; મુસાફરોમાં દેકારો
May 14, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech