ભોપલકા ગામે વૃદ્ધની હત્યા પ્રકરણમાં ચારેય આરોપીઓના રિમાન્ડ મંજૂર

  • April 18, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામે રહેતા દેવરામભાઈ વાલાભાઈ સોનગરા નામના આશરે 60 વર્ષના સતવારા વૃદ્ધની ગત તા. 15 ના રોજ લાકડીના ઘા મારી, ઘાતકી હત્યા નીપજાવવા બદલ મૃતકના પુત્ર દ્વારા આ જ વિસ્તારમાં રહેતા રમેશભાઈ દામજીભાઈ રાઠોડ, સામુબેન રમેશભાઈ રાઠોડ, જયસુખ ટપુભાઈ રાઠોડ અને રમીલાબેન જયસુખ રાઠોડ સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.


મૃતક દેવરામભાઈએ ભાગમાં રાખેલા ખેતરમાં આવેલા જીરૂના પાકમાં આરોપીઓએ દવા છાંટી દેતા જીરૂનો પાક બળી ગયો હોવા અંગેની શંકા તેમજ ખાર દેવરામભાઈ દ્વારા રાખવામાં આવતા આરોપીઓએ તેમને બોથડ પદાર્થ મારી અને હત્યા નિપજાવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું હતું. આ પ્રકરણ સંદર્ભે દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુરના ઈન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડ તેમજ તેમની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરી અને ઉપરોક્ત તમામ ચાર આરોપીઓની અટકાયત લેવામાં આવી હતી.


ઝડપાયેલા આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવતા નામદાર અદાલતે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application