જામનગર સહિત વિવિધ જગ્યાઓના આર્યસમાજમાંથી સહકાર સાંપડ્યો
જામનગરમાં આર્યસમાજ ખાતે પ્રકાશિત “મૃત્યુ એક સત્ય” પુસ્તિકાનો વિમોચન સમારોહ યોજવામાં આવ્યો હતો.
આપણા સમાજમાં મૃત્યુ પછીની ગતિ અંગે અનેક માન્યતાઓ, દુષણો, કુરિવાજો અને કુરૂઢીઓ પ્રચલિત છે. ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાને લઈ અને વૈદિક સિધ્ધાંતોના આધારે મૃત્યુ, મૃત્યુ પછીની ગતિ અને મૃત્યુ અંગેની અન્ય ભ્રામક માન્યતાઓને દૂર કરીને વેદો આધારિત સત્ય સમજ આપવાનો આ પુસ્તિકામાં આલેખક દીપકભાઈ જયંતીલાલ ઠક્કર દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ છે.
ઉપરોક્ત પુસ્તક પ્રકાશિત કરવા માટે આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, માનદ્દમંત્રી નરેન્દ્રભાઈ મહેતાનો સહકાર મળેલ છે. તેમાં આર્યસમાજ-જામનગર, રાજકોટ, ધાંગધ્રા, ગાંધીધામ, પોરબંદર, લખધીરવાસ (મોરબી), વઢવાણ, માંડવી-કચ્છનો અગ્રીમ ગ્રાહક તરીકે સહકાર મળેલ હતો.
ઉપરોક્ત કાર્યક્રમમાં જામનગર આર્યસમાજના સર્વે પદાધિકારીઓ, અંતરંગ સદસ્યો, સભાસદો, સહાયકો, શુભેચ્છકો, બંને વિભાગના આચાર્યા, શિક્ષિકા બહેનો, વહીવટી કર્મચારીઓ અને સેવક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech