ખંભાળિયામાં ગૌસેવા રક્ષા પરિવાર દ્વારા સેવા, જાગૃતિ આયોજન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ભૂમાફિયાઓ દ્વારા સરકારની ગૌચરની જમીન પર દબાણો કરવામાં આવ્યા છે. જેને અનુલક્ષીને ગૌસેવા રક્ષા પરિવાર દ્વારા ખંભાળિયામાં જિલ્લા કલેકટરને સોમવારે સવિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવશે.
ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ગૌસેવા અને ગૌરક્ષા કરતા કાર્યકરો દ્વારા કરવામાં આવેલા ખાસ આયોજનના ભાગરૂપે જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગૌચરની જગ્યા પરના થયેલા દબાણના મુદ્દે સોમવાર તારીખ 20 ના રોજ અહીંના જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવવાનું મુકરર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સોમવારે સવારે 10 વાગ્યે ખંભાળિયાના સલાયા ચાર રસ્તા વિસ્તારમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલ નજીક ગૌભક્તો તેમજ હિન્દુજનો એકત્ર થશે. જ્યાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણાઓ બાદ સામૂહિક રીતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી અને જિલ્લામાં વર્ષોથી રહેલા ગૌચરના દબાણો દૂર કરવા માટેની માંગ કરવામાં આવશે.
આ આયોજનમાં ઉપસ્થિત રહેવા હિન્દુ ધર્મપ્રેમી તેમજ ગૌપ્રેમીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોનાના JN.1 વેરિઅન્ટનો કહેર: ભારતમાં વધ્યા કેસ, દેશમાં અત્યાર સુધીમાં 350 એક્ટિવ કેસ
May 24, 2025 08:05 PMએલોન મસ્કનું X દુનિયાભરમાં ડાઉન: લાખો યુઝર્સ પરેશાન
May 24, 2025 07:56 PM૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMટ્રમ્પના 25 ટકા ટેરિફ લગાવવા છતાં ભારતમાં બનેલા iPhones યુએસમાં સસ્તા પડશે
May 24, 2025 03:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech