ખંભાળિયા આઈ.ટી.આઈ  ખાતે ભરતીમેળો યોજાશે

  • May 13, 2025 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા. ૧૪ મે ના રોજ ઔદ્યોગીક ભરતીમેળાનું આયોજન

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા તા.૧૪-૦૫-૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે આઈ.ટી.આઈ., ખંભાળિયા ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔધોગિક ભરતીમેળો યોજાશે.

આ ઔધોગિક ભરતીમાં ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયુ છે. જોબફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને આ માટે એસ.એસ.સી, આઈ.ટી.આઈ તથા ડિપ્લોમા જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મશીન ઓપરેટર, હેલ્પર અને યુટિલિટી જેવી જગ્યાઓ પર ઉમેદવારો માટે જોબફેરનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા  ઈચ્છુક ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેમાં હાજર રહી શકાશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application