આ કેસની હકીકત મુજબ, આણંદ ખાતે આવેલ એન્જિનિયરિંગ કંપની એલીકોન સામે તેમના ૬૨ શ્રમયોગીઓએ મજુર અદાલત, આણંદ સમક્ષ ઔધોગિક વિવાદ ધારા હેઠળ રિકવરી અરજીઓ દાખલ કરી સને-૨૦૦૩માં થયેલ સમાધાન મુજબના લાભો માંગેલ હતાં. આ કેસોમાં કંપની તેમના એડવોકેટ મારફત હાજર થઈ રજૂઆત કરેલ કે આ શ્રમયોગીઓ એપ્રિલ- ૨૦૦૨માં કંપનીએ જાહેર કરેલ સ્વૈચ્છિક નિવૃતી યોજના હેઠળ રાજીખુશીથી રાજીનામા આપી વી.આર.એસ. સ્કીમ મુજબના લાભો સ્વીકારી છુટા થઈ ગયેલ હતાં અને ત્યારબાદ ૨૧ વર્ષના લાંબા સમયગાળા બાદ હાલની અરજીઓ દાખલ કરેલ છે. વિશેષમાં કંપની અને યુનિયન વચ્ચે થયેલ સમજુતી મુજબના લાભો પણ શ્રમયોગીઓને ચુકવી આપવામાં આવેલ છે જેથી તેઓની કોઈ રકમ બાકી નીકળતી નથી.
ઉપરોકત કેસમાં બન્ને પક્ષોએ રજુ થયેલ લેખીત નિવેદનો, દસ્તાવેજી પુરાવાઓ, સાક્ષીઓની જુબાનીઓ અને પક્ષકારોની રજુઆતો સાંભળ્યા બાદ મજુર અદાલત આણંદે ઠરાવેલ છે કે હાલની અરજીઓ શ્રમયોગીઓએ તમામ હકક, હિત-હિસ્સાઓ સ્વીકાર્યા બાદ ૨૧ વર્ષના સમયગાળા બાદ કરેલ છે તેમજ સને-૨૦૦૩ના સમાધાનની શરતો મુજબ શ્રમયોગીઓ કંપનીના રોલ ઉપર ચાલુ જ ન હતાં. તેવા સંજોગોમાં તેઓને મળવાપાત્ર સમાધાન મુજબની લમસમ રકમ પણ ચુકવી આપવામાં આવેલ છે તેથી શ્રમયોગીઓને હાલની અરજીઓ કરી કોઈ દાદ માંગવાનો પ્રસ્થાપિત હકક જ નથી તેમ ઠરાવી મજુર અદાલતે તમામ રિકવરી અરજીઓ રદ યાને નામંજુર કરવાનો હુકમ કર્યો છે.
કંપનીની તરફેણમાં વધુ એક ચુકાદો :
વધુમાં આ જ કંપની સામે ત્રણ અરજદારોએ તેઓને ગેરકાયદેસર રીતે છુટા કર્યાનું જણાવી મજુર અદાલત સમક્ષ ચડત રોજ સાથે પુનઃસ્થાપિત કરવાના રેફરન્સ કેસો કરેલ હતાં, જેમાં કંપનીએ રજૂઆત કરેલ કે હાલના ત્રણ અરજદારો સિનિયર કેડરના ઇજનેરો તરીકે સુપરવાઈઝરી, વહીવટી અને મેનેજરીયલ પ્રકારની કામગીરી કરે છે ₹ 40,000થી વધુ પગાર મેળવતા હતા, તેમનો ઔધોગિક વિવાદ ધારાની કામદારની વ્યાખ્યામાં સમાવેશ થઈ શકે નહી. આવા સંજોગોમાં લેબર કોર્ટને આ કેસો ચલાવવાની હકુમત ન હોવાથી આ ત્રણ પુનઃસ્થાપિત થવાના કેસો પણ રદ કરવામાં આવ્યા હતાં. આ કેસોમાં કંપની વતી આણંદ મજુર અદાલતમાં રાજકોટના સિનિયર એડવોકેટ યોગેશભાઈ રાજયગુરૂ, જયેશભાઈ યાદવ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધવિરામનું શું થશે? આજે ભારત અને પાકિસ્તાનના DGMO ફરી હોટલાઇન પર વાત કરશે
May 12, 2025 09:46 AMLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech