લીલીયા બોટાદ પંથકમાં એકથી બે ઇંચ સાથે મેઘરાજાનું પુનઃ આગમન

  • August 21, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર કચ્છ પંથકમાં છેલ્લા દસ-બાર દિવસની વરાપ બાદ ગઈકાલથી મેઘરાજાએ લીલીયા, બોટાદ પંથકમાં એક થી બે ઇંચ તેમજ જુનાગઢ, રાજુલા, અમરેલી, લાઠી, મુળી, સાયલા  પંથકમાં અડધોથી પોણો ઈચ વરસાદ  જતા  ફરી ચોમાસાના માહોલનો પ્રારંભ થયો હોવાનું જણાઈ રહ્યું છે. આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન કુલ 21 તાલુકામાં ઝાપટાથી માંડીને બે ઇંચ સુધીનો વરસાદ પડી જવા પામ્યો છે.

10 - 12 દિવસની વરાપ બાદ ગઈકાલથી મેઘરાજાનું પુનઃ આગમન થતા આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન અમરેલીના લીલીયા પંથકમાં બે ઇંચ ઉપરાંત રાજુલા અમરેલી લાઠીમાં અડધો થી પોણો ઈંચ અને ખાંભા સાવરકુંડલા ધારી બગસરાના પંથકમાં ઝાપટા વરસ્યા હતા.

બોટાદમાં એક ઇંચ અને બરવાળા ખાતે ઝાપટા વરસ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને સાયલામાં અડધોથી પોણો ઈંચ, જુનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. 

ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના ઘોઘા જેસર  પાલીતાણા પંથકમાં ઝાપટા વરસી જવા પામ્યા હતા રાજકોટ જિલ્લામાં માત્ર કોટડા સાંગાણી ખાતે ઝાપટાનો વરસાદ નોંધાયો છે, એ રીતે કચ્છના રાપર અને ગિર સોમનાથના તાલાલા પંથકમાં પણ ઝાપટા રૂપે વરસાદ વરસીને ચોમાસાના માહોલના અણસાર આપ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application