હરિયાણાના ઉર્જા અને પરિવહન મંત્રી અનિલ વિજને ભાજપ દ્વારા કારણદર્શક નોટિસ અપાઈ છે. આ નોટિસ હરિયાણા ભાજપ પ્રમુખ મોહન લાલ બદૌલીએ જારી કરી હતી. તેમાં જણાવાયું છે કે વિજે જાહેરમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી વિરુદ્ધ નિવેદનો આપ્યા છે, જે પક્ષની નીતિ અને શિસ્ત વિરુદ્ધ છે. નોટિસ મુજબ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નિર્દેશ મુજબ વિજ પાસે ત્રણ દિવસમાં જવાબ માગવામાં આવ્યો છે.
નોટિસની પ્રતિક્રિયા આપતાં અનિલ વિજે મીડિયા સામે કટાક્ષભર્યું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, "હું હમણાં જ પાછો ફર્યો છું. હું પહેલા મારા ઘરે જઈશ, ઠંડા પાણીથી સ્નાન કરીશ, આરામ કરીશ, ભોજન કરીશ અને પછી શાંતિથી હાઈકમાન્ડને લેખિતમાં જવાબ મોકલીશ." તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ મીડિયા દ્વારા નહીં પરંતુ હાઈકમાન્ડને જ પોતાના જવાબ રજૂ કરશે.
શું છે આખો મામલો?
અનિલ વિજે ગયા સોમવારે ટ્વિટર પર કેટલાક ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા જેમાં તેમણે દાવો કર્યો હતો કે 'કામદારો' મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના 'મિત્ર' સાથે અને ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં જેમને તેમણે હરાવ્યા હતા તે એક અપક્ષ ઉમેદવાર સાથે પણ જોવા મળ્યા હતા. થોડા દિવસો પહેલા, ઉર્જા અને પરિવહન મંત્રી વિજે દાવો કર્યો હતો કે ગયા ઓક્ટોબરમાં અંબાલા કેન્ટ બેઠક પરથી ચૂંટણીમાં તેમને હરાવવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું. વિજે અંબાલા કેન્ટ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ચિત્રા સરવરાને હરાવીને જીત મેળવી હતી અને સાતમી વખત ધારાસભ્ય બન્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુટ્યુબર્સ રણવીર અને સમય રૈનાની મુશ્કેલીઓ વધી: FIR દાખલ, મહિલા આયોગની કાર્યવાહી
February 11, 2025 10:39 PMડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, વિદેશી લાંચ કાયદા પર રોક લગાવી, અદાણી ગ્રુપના શેરમાં આવ્યો ઉછાળો
February 11, 2025 10:34 PMજામનગર મનપામાં રજૂ કરાયેલા બજેટમાં સુધારા સાથેના કરબોજ અંગે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને વિગતો આપી
February 11, 2025 07:14 PMજમ્મુમાં LoC નજીક IED વિસ્ફોટ, બે જવાન શહીદ
February 11, 2025 07:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech