કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રાજેશભાઈ પરસોતમભાઈ દુધરેજીયા નામના 30 વર્ષના બાબાજી યુવાને ગત તારીખ 7 ઓક્ટોબરના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે એસિડ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ મૃતકના ભાઈ જગદીશભાઈ પરસોતમભાઈ દુધરેજીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
ઉલટી ઉપાડ્યા બાદ મૂર્છિત અવસ્થામાં દ્વારકા પંથકના મહિલાનું મૃત્યુ
દ્વારકા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા આશાબેન દિનેશભાઈ રોશિયા નામના 21 વર્ષના મહિલા સોમવારે સાંજના સમયે તેમના ઘરે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને એકાએક ઉલટી અને ઉબકા ઉપડ્યા બાદ ચક્કર આવતા બેભાન અવસ્થામાં તેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ દિનેશભાઈ રામાભાઈ રોશિયાએ દ્વારકા પોલીસને કરી છે.
ખંભાળિયામાં અજાણ્યા યુવાનનું મૃત્યુ
ખંભાળિયા શહેર નજીકના જામનગર રેલ્વે ટ્રેક પાસેથી આશરે 30 વર્ષના અજાણ્યા યુવાન કોઈ કારણોસર ઈજાગ્રસ્ત બનતા તેમને ખંભાળિયા બાદ જામનગરથી વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech