કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા હરીશચંદ્ર ધરમશીભાઈ મશરૂની ૨૫ વર્ષની પુત્રી શીવાનીબેનના લગ્ન થોડા સમય પૂર્વે રાજકોટમાં પ્રહલાદ પ્લોટ ખાતે રહેતા કિશન અશોકભાઈ જોબનપુત્રા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન શિવાનીબેનને તેણીના પતિ કિશન, સસરા અશોકભાઈ જેઠાલાલ, સાસુ ક્રીનાબેન તેમજ મૌલિક અશોકભાઈ જોબનપુત્ર દ્વારા શારીરિક તથા માનસિક દુ:ખ-ત્રાસ આપીને પતિ કિશન દ્વારા કોઈ વાત છુપાવવા ઉપરાંત તેણીનું સ્ત્રીધન ઓળવી જઈને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જે અંગે પોલીસે ચારેય સાસરિયાઓ સામે આઈપીસી કલમ ૪૯૮ (એ), ૪૦૬, ૪૨૦ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
***
ભાણવડની પરિણીતાને ત્રાસ આપી, હાંકી કાઢતા સાસરિયાઓ
ભાણવડમાં સિદ્ધિવિનાયક સોસાયટી ખાતે રહેતા ગોવિંદભાઈ કારેણાની પુત્રી મીરાબેનને તેણીના લગ્ન જીવન દરમિયાન વિજયપુર વિસ્તારમાં રહેતા તેણીના સાસરીયાઓ અશોકભાઈ પરબતભાઈ ગોહેલ, મુરીબેન પરબતભાઈ ગોહેલ અને સંજયભાઈ પરબતભાઈ ગોહેલ દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરી, દુ:ખ-ત્રાસ આપી, મારકૂટ કર્યાની તથા બિભત્સ ગાળો કાઢીને ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એસ.કે. બારડ દ્વારા વધારવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનિર્માતાઓએ ફેરવી તોળ્યું, ભૂલ ચૂક માફ' હવે સિનેમાઘરોમાં આવશે
May 15, 2025 11:39 AMસોશ્યલ મિડીયા પર રાષ્ટ્ર વિરોધી ક્ધટેન્ટ ફેલાવતા શખ્સને પકડી લેતી જામનગર સાયબર ક્રાઇમ
May 15, 2025 11:39 AMકંપકંપી: તુષાર કપૂર-શ્રેયસ તલપડેની રુવાડા ઉભા કરી દે તેવી એક્ટિંગ
May 15, 2025 11:38 AMજામનગર હંગામી બસ સ્ટેન્ડમાં આકરા તાપમાં પતરાંમાં તપતા મુસાફરો, કર્મચારીઓ
May 15, 2025 11:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech