હર્ષદમાં હરસિદ્ધિ માતાજીના મંદિર ખાતે શનિવારે રાસ - ગરબાનું આયોજન

  • October 17, 2023 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરીત દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ હર્ષદ ખાતે આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિર ખાતે શનિવાર તા. 21 રોજ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.


દ્વારકા જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા હરસિદ્ધિ માતાજીના મંદિર ખાતે રાત્રે 8 વાગ્યાથી રાસ-ગરબા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. જેમાં પ્રસિધ્ધ કલાકાર નિરવભાઈ રાયચુરા અને જ્યોત્સનાબેન રાયચુરા દ્વારા પ્રાચીન ગરબાની રમઝટ બોલાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application