દુષ્કર્મના આરોપી પાદરી બજિંદરસિંહને આજીવન કેદની સજા

  • April 01, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંજાબના સ્વ-ઘોષિત પાદરી બજિંદર સિંહને તાજેતરમાં મોહાલી કોર્ટે બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. આજે કોર્ટે બજિન્દર સિંહને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં છેલ્લી સુનાવણી 28 માર્ચે થઈ હતી, જ્યારે તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે બજિન્દર સિંહને બળાત્કાર કેસમાં દોષિત ઠેરવ્યો હતો.


આ બળાત્કારનો કેસ 2018નો છે. પીડિતાનું કહેવું છે કે તે છેલ્લા 7 વર્ષથી ન્યાય મેળવવા માટે કોર્ટ અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છે. પીડિતાએ દાવો કર્યો હતો કે તેના જેવી બીજી ઘણી સ્ત્રીઓ હતી જેનું પાદરી બજિન્દર સિંહ દ્વારા શોષણ કરવામાં આવ્યું હતું.


બળાત્કાર પીડિતાના વકીલ અનિલ સાગરે જણાવ્યું હતું કે કોર્ટે પાદરીને આજીવન કેદની સજા ફટકારી છે, જેનો અર્થ એ છે કે તેને મૃત્યુ સુધી જેલમાં રહેવું પડશે. બજિંદર સિંહે અપીલ કરી હતી કે તેને ઓછી સજા આપવામાં આવે પરંતુ કોર્ટે તે સ્વીકારી ન હતી.


પીડિતાએ દાવો કર્યો હતો કે બજિન્દર સિંહ ધર્મના નામે લોકોને મૂર્ખ બનાવી રહ્યો હતો. બજિન્દર સિંહને ધર્મ પરિવર્તન માટે બહારથી હવાલાના પૈસા પણ મળતા હતા. પાદરી બજિન્દર સિંહ વિરુદ્ધ બળાત્કારના કેસમાં ફરિયાદીએ કહ્યું હતું કે પોતાને પાદરી કહેવડાવનાર બજિન્દર સિંહ એક જાનવર છે અને તેને ઓછામાં ઓછી 20 વર્ષની સજા થવી જોઈએ.


વર્ષ 2018માં, એક મહિલાએ મોહાલીના ઝીરકપુર પોલીસ સ્ટેશનમાં બજિન્દર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પીડિતાએ કહ્યું હતું કે બજિન્દર સિંહે તેને વિદેશ લઈ જવાની લાલચ આપીને તેનું શોષણ કર્યું હતું. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે બળાત્કારનો વીડિયો બનાવ્યા પછી તેણે ધમકી આપી હતી કે જો પીડિતા તેનું કહેવું નહીં માને તો તે વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ કરી દેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application