ખંભાળિયામાં કુંભારના ભઠ્ઠા પાસેના એસ.ટી. ડેપો વર્કશોપ પાછળના ભાગે રહેતા અને વિક્રમસિંહ ચુડાસમાના પુત્રી દિવ્યાબા યુવરાજસિંહ રાણા (ઉ.વ. 27) ને તેણીના લગ્ન જીવન દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કનજરી ગામે રહેતા તેણીના પતિ યુવરાજસિંહ પ્રદિપસિંહ રાણા, સાસુ મૈયાબા પ્રદિપસિંહ રાણા, નણંદ સોનલબા મયુરસિંહ જાડેજા, નણંદોયા હરેશ ઉર્ફે મયુરસિંહ અરવિંદસિંહ જાડેજા, નણંદ ભરતબા નવજતસિંહ રાઠોડ અને નણંદોયા નવજતસિંહ લખધીરસિંહ રાઠોડ દ્વારા દહેજ માટે નાની-નાની બાબતે ઝઘડો કરી, તેણીને શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપ્યો હતો.
આટલું જ નહીં, આરોપીઓ દ્વારા દિવ્યાબાને બિભત્સ ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે તમામ છ સાસરિયાઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એસ.કે. બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયામાં બે જુગારીઓ ઝડપાયા
ખંભાળિયાથી આશરે 18 કિલોમીટર દૂર ભાડથર ગામેથી પોલીસે રાજુ જીવણ રૂડાચ અને ડાવા નાગશી અવસુરાને ગંજી પાના વડે તીનપત્તી નામનો જુગાર રમતા ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનના દાવા પોકળ, BLA એ કહ્યું- યુદ્ધ પૂરું થયું નથી, અમે પાક.ના 100થી વધુ સૈનિકો ઠાર કર્યા
March 14, 2025 02:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech