પશ્ચિમ બંગાળમાં રામનવમીની શોભાયાત્રા પર બોમ્બ–પથ્થરમારો

  • April 18, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસાની વધુ એક ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજે મુર્શિદાબાદ જિલ્લાના શકિતપુરમાં રામ નવમીના શોભાયાત્રામાં બોમ્બ અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક મહિલા અને બે બાળકો સહિત ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને મુર્શિદાબાદ મેડિકલ કોલેજની હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તણાવને જોતા વહીવટીતંત્રે મોટી સંખ્યામાં કેન્દ્રીય દળોને તૈનાત કર્યા છે.

આ મામલે હજુ સુધી પોલીસનું સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ સમયગાળા દરમિયાન આસપાસના અનેક મકાનો અને દુકાનોમાં આગચંપી અને લૂંટફાટ પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ રામ નવમી પર બંગાળમાં હિંસાની ઘટનાઓ બની હતી. ઉત્તર દિનાજપુરના દાલખોલા, હાવડાના શિવપુર અને રિસરા અને હુગલીના શ્રીરામપુરમાં રામનવમીના શોભાયાત્રા પર હત્પમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાઓમાં અનેક લોકો ઘાયલ થયા છે.

શકિતપુર ઉપરાંત જિલ્લાના માણિકયાહાર વિસ્તારમાં પણ રામ નવમીની શોભાયાત્રા દરમિયાન હત્પમલો કરવામાં આવ્યો હતો. બદમાશોએ માણિકયાહાર વિસ્તારમાં અનેક ઘરો અને દુકાનોમાં આગ લગાવી અને લૂંટ પણ કરી. શકિતપુરમાં ઘરની છત પરથી બદમાશોએ શોભાયાત્રા પર પથ્થરમારો શ કર્યેા. શોભાયાત્રાને નિશાન બનાવીને બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડા હતા. તૃણમૂલ સમર્થિત બદમાશો દ્રારા શોભાયાત્રા પર હત્પમલો કરવાનો આરોપ છે.

બીજી તરફ, મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ઘાયલોને જોવા આવેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અધીર રંજન ચૌધરી વિદ્ધ ભાજપના કાર્યકરોએ 'ગો બેક'ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી

હિંસાની ઘટના મામલે ભાજપના મમતા પર પ્રહાર
હિંસાની ઘટના માટે ભાજપે રાયના મુખ્યમંત્રી મમતા બેનજીર્ને જવાબદાર ઠેરવ્યા છે. ભાજપના આઇટી સેલના વડા અને રાયના સહ–પ્રભારી અમિત માલવિયાએ કહ્યું છે કે હિંસાની આ ઘટના માટે લોકોને ઉશ્કેરતું મમતા બેનજીનુ ઉશ્કેરણીજનક ભાષણ જવાબદાર છે, જે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી સતત તેમની સભાઓમાં આપી રહ્યા હતા. જયારે વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું છે કે મમતાની પોલીસ ફરી એકવાર હિંસા પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહી છે. હિંદુઓ પર ખુલ્લેઆમ હત્પમલા થયા અને તેમની પોલીસ મૂક પ્રેક્ષક બની રહી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદારે હિંસાની ઘટનાની એનઆઈએ તપાસની માંગ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application