પોરબંદરમાં રક્ષાબંધન અને શ્રાવણ માસ નિમિત્તે યોજાયા અઢળક સેવાકાર્યો

  • August 22, 2024 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરની ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, મેડિકલ, આર્થિક, પશુ પક્ષીઓ માટે સતત સેવાના કાર્ય કરતી સંસ્થા શ્રી માહી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી વિવિધ સેવાકાર્યોના આયોજન દ્વારા થતી હોય છે,
ત્યારે રક્ષાબંધન અને શ્રાવણ માસ નિમિત્તે માહી ગ્રુપના સભ્યો દ્વારા ત્રિ-દિવસીય વિવિધ સેવા કાર્યોના આયોજન કરવામાં આવ્યા હતા,જેમાં  ગ્રુપના સેવાભાવી ટ્રસ્ટી  ઘનશ્યામભાઈ મહેતા પરિવારના સહયોગથી તેમના પુજય માતા અને પિતાના સ્મરણાર્થે સોમનાથ ગૌશાળા ખાતે  ઘાસચારાનું વિતરણ તેમજ રોહિતસિંહબાપુની આનંદ ગૌશાળાએ ગાયમાતાને  ઘાસચારાનું વિતરણ તેમજ માણેકબાઈ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોને મિષ્ટાન-ફરસાણ સાથેની ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતુ 
તેમજ  ગ્રુપના સેવાભાવી સભ્ય  અનિલભાઈ બથિયા પરીવારના સહયોગથી ઇન્દ્રેશ્ર્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ, કબુતરોને ચણ, શ્ર્વાનને બિસ્કિટ અને દુધ, કીડીને કીડીયા‚, માછલીઓને ભોજન સહિતના વિવિધ સેવાકાર્યોના આયોજન કરાયા હતા તેમજ શ્રાવણ માસના સોમવારે ખેતલીયા દાદાના મંદિરે આવેલ દેવોના દેવ મહાદેવના મંદિરે  ગ્રુપના સભ્યો દ્વારા ધ્વજારોહણ કરી દેવોના દેવ મહાદેવની પુજા અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ  ગ્રુપ પરિવારની બહેનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શ્રી પ્રાગજીબાપા આશ્રમ ખાતે દિવ્યાંગોને રાખડી બાંધી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા,ઉપરોક્ત સેવાકાર્યોના આયોજનમાં  ગ્રુપ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકાર્યોનો લાભ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application