ખંભાળિયાની સ્પેશિયલ પોકસો કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
રાજકોટ તાલુકાના સાપર વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રહીશ જયદીપ કાનાભાઈ ભેડા નામના શખ્સ દ્વારા થોડા સમય પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી, અને તેણીના માતા-પિતાના કાયદેસરના વાલીપણામાંથી મોટરકાર મારફતે અપહરણ કરીને લઈ ગયો હતો.
આરોપી દ્વારા સગીરાને એક હોટલમાં લઈ જઈ અને બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભોગ બનનારને આરોપીએ લાલપુર તેના મિત્રને ત્યાં મોકલી આપી હતી અને પછી લઈ જઈશ તેમ કહી લેવા ગયો ન હતો. આ બાદ આરોપીએ ભોગ બનનારનો ફોન પણ ઉપાડ્યો ન હતો. જેથી તેણીએ જામનગર પરત આવી અને ત્યાંથી રાજકોટ નીકળી ગઈ હતી. જ્યાં ભોગ બનનારના પિતા અને સંબંધીઓ શોધખોળ કરતા હતા. આ દરમિયાન રાજકોટ ખાતેથી મળી આવેલી વિગતવાર ફરિયાદ સગીરાના પરિવારજનો દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા આ અંગે પોલીસે અપહરણની કલમ 363, 366, 376 તથા પોક્સો હેઠળ નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી યુ.કે. મકવા દ્વારા ભોગ બનનાર તેમજ આરોપીના મેડિકલ નમૂના મેળવી અને એફ.એસ.એલ.માં મોકલ્યા હતા. આ પ્રકરણમાં અહીંની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ કેસ અહીંની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ કેસમાં ભોગ બનનારની જુબાની તેમજ લેવામાં આવેલા નિવેદનો સહિત જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ આર. ચાવડા દ્વારા વિવિધ મુદ્દે કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઈને સ્પેશિયલ પોકસો કોર્ટના જજ શ્રી એસ.જી. મન્સુરીએ આરોપી જયદીપ કાનાભાઈ ભેડાને જુદી જુદી કલમ હેઠળ કુલ સાત વર્ષની કેદની સખત કેદની સજા તેમજ રૂપિયા 20,000 નો રોકડ દંડ ફટકાર્યો હતો.
આ પ્રકરણમાં ભોગ બનનાર સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે કમ્પનસેશન સ્કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા માટે પણ આદેશ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech