રાજકોટ સહિત રાજ્યમાં કમોસમી વરસાદ તેમજ વાવઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇને રાજકોટ એસટી ડિવિઝન દ્વારા તમામ રૂટના ડ્રાઇવર-કંડકટર માટે જરૂરી સુચનાઓ જારી કરવામાં આવી છે.
રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી. કલોતરા દ્વારા રાજકોટ એસટી બસપોર્ટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના તમામ ડેપો મેનેજર્સ જોગ તેમજ તમામ બસ રૂટના ડ્રાઇવર કંડકટર માટે માવઠાને અનુલક્ષીને સુચનાઓ જારી કરાઇ છે જેમાં (૧) માર્ગ ઉપર ભયજનક વરસાદી પાણી ભરાયેલ હોય તો જોખમી રીતે વાહન પસાર ન કરવા તમામ ડ્રાઇવરોને સૂચિત કરવા (૨) માર્ગ ઉપર કોઝ વે, નદી, નાળા, જોખમી સ્થળોથી બસ સાવચેતી પૂર્વક જરૂરી તકેદારી સાથે કોઇ પણ જોખમ લીધા વગર પસાર કરવા તમામ ક્રૂ ને સૂચિત કરવા. (૩) બસ સ્ટેશન, કન્ટ્રોલ પોઇન્ટ, વર્કશોપની નિગમ પ્રિમાઈસીસમાં લાગેલ હોર્ડિંગ કે અન્ય રીતે કોઇ પણ જાનમાલને નુકશાન કે બસો તેમજ અન્ય માલ મિલકતને નુકશાન ન થાય તે બાબતોએ જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech