રાજકોટ ગ્રામ્ય એસઓજીએ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસેલા બે શખસને ઝડપી પાડ્યા હતા. ત્યારે વધુ એક બાંગ્લાદેશી મહિલાને ઝડપી લીધી છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમ બાંગ્લાદેશી નાગરિકોની પૂછપરછ કરી રહી હતી ત્યારે રંગપર ગામના પાટિયા પાસે આવેલ રવેચી હોટલની પાછળ આવેલ મારૂતિ સોસાયટીમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી મહિલા રહેતી હોવાની હકિકત મળી હતી. આ જગ્યા પર તપાસ કરતા શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા ગેરકાયદેસર રીતે હોવાનું જાણવા મળ્યું હતું.
રીના ખુરશીદઆલોમ બિશ્વાસ (ઉં.વ. 34) નામની બાંગ્લાદેશી મહિલાને પોલીસ મહિલા પોલીસ સ્ટેશનની હાજરીમાં નજર કેદ કરી હતી. આ મહિલા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે કે કેમ? ક્યાં હેતુથી ઘૂસણખોરી કરી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
બોલીવુડ અભિનેતા સેફ અલી ખાનના બંગલામાં ઘૂસી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં હુમલો કરનાર શખ્સ બાંગ્લાદેશી હોવાનું અને તે ગેરકાયદે ભારતમાં ઘૂસી આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ ઘટના બાદ દેશભરમાં ગેરકાયદે રીતે ઘુસી આવેલા બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.બીજી તરફ રાષ્ટ્રીય પર્વને લઇ પણ પોલીસ એલર્ટ છે દરમિયાન રાજકોટ ગ્રામ્ય એસોજી અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે રાજકોટ નજીક પડધરીના રંગપર ગામના પાટીયા પાસેથી બે બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી લીધા હતા.
ગ્રામ્ય એસોજીની ટીમ સચોટ બાતમીના આધારે રંગપર ગામના પાટીયા પાસેથી સોહીલ હુસેન યાકુબઅલી (ઉ.વ 30) અને રીપોનહુસેન અમીરૂલ ઇસ્લામ(ઉ.વ 28) નામના બાંગ્લાદેશીને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા હાલ બંનેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં એવી હકીકત સામે આવી હતી કે આ બંને શખસો ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસ્યા બાદ અહીં આવ્યા હતા. છેલ્લા બે માસથી તેઓ અહીં રહેતા હતા અને પડધરી નજીક આવેલી ફેક્ટરીમાં મજૂરીકામ કરતા હતા બંને શખસો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે, કેમ તેમજ તેમને અહીં સુધી લાવવામાં કોઈ સ્થાનિકની ભૂમિકા છે કે કેમ? સહિતની બાબતો અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચનાના પગલે આગામી 26મી જાન્યુઆરીના તહેવારને લઈ નાગરિકો નિર્ભયપણે તહેવારની ઉજવણી કરી શકે તે માટે રાજકોટ જિલ્લામાં ગેરકાયદે રીતે ઘુસણખોરીથી રહેતા અન્ય દેશના નાગરિકો બાબતે તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી હોય જે અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ એમ.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ વિરડા, મનોજભાઈ બાયલ પેટ્રોલિંગમાં હતા દરમિયાન બંનેને મળેલી બાતમીના આધારે એસઓજી એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ બી.સી.મિયાત્રા તથા તેમની ટીમ અને ટ્રાફિક યુનિટની ટીમ દ્વારા મળી પડધરી તાલુકાના રંગપર ગામના પાટિયા પાસે મારૂતિ સોસાયટી બ્લોક નંબર-૩ માં બે શંકાસ્પદ શખ્સોને ઝડપી લીધા હતા. જેમની પુછતાછમાં તેમનું નામ સોહિલહુસેન યાકુબઅલી (ઉ.વ 30) અને રિપોન હુસેન અમીરુલ ઇસ્લામ (28 રહે બંને. મોનીરામપુરા, જોસર, ઢાંકા) હોવાનું માલુમ પડ્યું હતું. બંને બાંગ્લાદેશી હોય અને અહીં કોઈ આધાર પુરા વગર રહેતા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે તાકીદે બંનેને ડિટેઇન કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ભારતમાં ગેરકાયદે રીતે ઘુસેલા આ બંને બાંગ્લાદેશી શખસો બે માસ પૂર્વે જંગલ વિસ્તારમાંથી બોડર ક્રોસ કરી ભારતમાં ઘુસ્યા હતા અને કોલકાતામાંથી હાવડા એક્સપ્રેસમા બેસી અમદાવાદ અને ત્યારબાદ અહીં પહોંચ્યા હતા અહીં તેઓ પડધરી વિસ્તારમાં જ આવેલી ફેક્ટરીમાં મજૂરી કામ કરતા હતા.
બંને આરોપીઓ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે કે કેમ? સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. બંને શખસોની પૂછતાછ દરમિયાન આ બંને બાંગ્લાદેશ ઘુસણખોરોને અહીં પહોંચવા સુધીમાં કોણે મદદગારી કરી સહિતની બાબતો બહાર આવશે નથી.
એજન્ટ મારફત બંને આવ્યા હતા: એસ.પી હિમકરસિંહ
પડધરીના રંગપર પાટિયા પાસે ઝડપાયેલ બંને બાંગ્લાદેશીઓ અંગે રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહે જણાવ્યું હતું કે, પોલીસે પકડેલા આ બંને બાંગ્લાદેશીની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં એવી હકીકત સામે આવી છે કે, આ બંને બાંગ્લાદેશથી ઘુસણખોરો એજન્ટ મારફત અહીં પહોંચ્યા હતા. ત્યારે તેમને અહીં સુધી લાવનાર એજન્ટ કોણ તેમજ કોઈ સ્થાનિકની છે કે કેમ? સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.
જંગલમાંથી બોર્ડર ક્રોસ કરી કોલકાતા પહોંચ્યા, હાવડા એક્સપ્રેસથી અમદાવાદ
બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી લીધા બાદ પોલીસની પૂછપરછમાં એવી હકીકત સામે આવી હતી કે, આ બંને બાંગ્લાદેશી ઘુસણખોરો જંગલ વિસ્તારમાંથી બોર્ડર ક્રોસ કરી ભારતની હદમાં પ્રવેશ્યા હતા. બાદમાં તેઓ કોલકાતા પહોંચ્યા હતા જ્યાં હાવડા એક્સપ્રેસમાં અમદાવાદ ઉતાર્યા હતા. ત્યારબાદ અહીં સૌરાષ્ટ્રમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ફેક્ટરી માલિકની પણ પૂછપરછ થશે
કોઈ આધાર પુરાવા વગર પડધરીના રંગ પર પાટિયા પાસે રહેતા અને ફેક્ટરીમાં કામ કરનાર બે બાંગ્લાદેશી ઘુસણખોરને રાજકોટ જિલ્લા પોલીસે ઝડપી લીધા હતા. ત્યારે આ પ્રકારે કોઈ પણ આધાર વગર અહીં રહેતા આ બંને બાંગ્લાદેશી ઘુસણખોરોને ફેક્ટરીએ કામ પર રાખનાર ફેક્ટરી સંચાલકની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. જો તેને જરૂરી નિયમોનું પાલન નહીં કર્યું હોય તો પોલીસ દ્વારા તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
મકાન ભાડે અપાવનારની શોધખોળ
બાંગ્લાદેશી બંને યુવકો રાજકોટના ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં કામ કરી રંગપરના પાટિયા પાસે આવેલી મારુતિ સોસાયટીમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. ધુસણખોરોને મકાન ભાડે કોણે અપાવ્યું હતું ? કોઈ ભાડા કરાર કરવામાં આવ્યા હતા ? અથવા તો કોઈ જાણીતાએ મકાન માટેની વ્યવસ્થા અગાઉથી જ ગોઠવી રાખી હતી કે કેમ ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી મકાન ભાડે અપાવનારની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાલડીમાં 100 કરોડના સોનાનો ઘટસ્ફોટ: 57 કિલો સોનું દાણચોરીથી લવાયું, બે આરોપીની શોધખોળ
March 18, 2025 09:02 PMAustralian Beaches: ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારા પર રહસ્યમય ફીણથી ખળભળાટ, માછલીઓના મોત
March 18, 2025 09:00 PMવોટર કાર્ડને આધાર કાર્ડ સાથે કરાશે લિંક, ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં લેવાયો નિર્ણય
March 18, 2025 08:59 PMગુજરાત સરકાર સાથે નયારા એનર્જીના બે MOU થયા, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળશે વિશેષ લાભ
March 18, 2025 05:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech