ચોમાસા અગાઉ રાજકોટ મનપા એલર્ટ : ખાડા પડવા, પાણી ભરવા જેવી સમસ્યાને લઇને જાહેર કરાયા આ ઈમરજન્સી નંબર

  • May 31, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​ચોમાસુ હવે ઢુંકળુ છે. ત્યારે આ સમય દરમિયાન અનેક જગ્યાએ ખાડા પડવાના, વરસાદી પાણી ભરાવવાના, ડ્રેનેજને લગતા પ્રશ્નો ઉદ્ભવશે જેને લઇને ચોમાસા અગાઉ જ રાજકોટ મનપા એલર્ટ બની છે અને એક ઇમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યા છે.


રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી ભરાવાની, રસ્તા પર ખાડાઓ પડવાની, રસ્તાર પર ઝાડ પડવાની, હોડીંગ કે બોર્ડ પડવાની, ભયગ્રસ્ત મકાનો અંગે, વરસાદી પાણી તેમજ ડ્રેનેજનાં મેઈન હોલ ભરાવા જેવી ગંભીર ફરીયાદો માટે રાજકોટ મહાનગરપાલિ દ્વારા ઇમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં તા. 1 જૂનથી તા.31 ઓકટોબર સુધી સંપર્ક સાધી સમસ્યાઓ અંગે ફરિયાદ કરી શકાશે.



રાજકોટ મનપાએ જાહેર કરેલા ઇમરજન્સી ફોન નંબર


૦૨૮૧-૨૨૨૮૭૪૧           ૦૨૮૧-૨૨૨૫૭૦૭



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application