રાજકોટ–દીવ બસને કોડીનાર પહોંચતા સાત કલાક, મુસાફર જનતા ત્રાહિમામ

  • August 18, 2023 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝન હેઠળના રાજકોટ એસટી ડેપો દ્રારા સંચાલિત કમાઉ દીકરા સમાન અને નફાકારક ગુજરી નગરી એકસપ્રેસ બસ રુટ રાજકોટ–દીવ વાયા કોડીનાર જો હવે નિયમિત ન થાય તો મુસાફર જનતા દ્રારા આંદોલન કરવાની ફરજ પડશે રાજકોટ એસટી બસપોર્ટના મુસાફર જનતાના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ–દીવ બસનો રાજકોટથી ઉપડવાનો સમય બપોરે ૧૨ વાગ્યાનો છે તેમ છતાં છેલ્લા ઘણા સમયથી આ બસ સાડાબારથી એકની આસપાસ ઉપડે છે જેના કારણે મુસાફરને જનતાને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે.
આ બસ બારામાં અવારનવાર ફરિયાદ કરવા છતાં કાઈ કાયમી સાલ્યુસન આ જાડીર ચામડીવાળા એસટીના અધિકારીઓ કાઠતા નથી અને વધુ મુસાફરો હેરાન થાય તેમ નવા નુસખા અજમાવે છે. આ રાજકોટ–દીવવાળી બસ આ રુટ ઉપર એકજ બસ અપડાઉન કરતી હોવાના કારરે તેમજ રાજકોટ સાડા અગિયાર–બાર વચ્ચે પહોંચીને વળી પાછી વર્કશોપમાં સાફ સફાઈ માટે મોકલતા હોવાના કારણે વર્કશોપમાંથી એકાદ કલાક જેટલી લેટ આવાના કારણે રાજકોટથી જ એક કલાક જેટલી લેટ ઉપડે છે તેમજ રસ્તા ખરાબ હોવાના કારણે વધુ અડધી કલાક જેટલો વધુ સમય લાગતો હોવાના કારરે આ બસને કોડીનાર પહોંચતા સાંજના સાડાસાત વાગી જતાં હોવાના કારણે આ બસમાં રાજકોટ દવાખાનેથી આવતા ગામડાના દર્દીઓને ગામ જવા માટે કોઈ પણ વાહન મળતું નથી તો શું આ બાબતે એસટીના અધિકારીઓ મુસાફર જનતા માટે કઈં યોગ્ય કરશે? તેવા સવાલ ઉઠયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application