રાજકોટ : TRP ગેમઝોનના અગ્નિકાંડમાં જીવ ગુમાવનાર 27મૃતકોના DNA થયા મેચ,સગાઓને સોંપાયા પાર્થિવ દેહ

  • May 29, 2024 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં TRP ગેમઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બધા લોકોના પોસ્ટમોર્ટમ અને ડી.એન.એ. મેચિંગ બાદ આજે બધા મૃતદેહ તેમના સગાઓને સોંપવામાં આવ્યા છે. બુધવારે બપોર સુધીમાં કુલ મળીને ૨૭ મૃતદેહની ડી.એન.એ. મેચિંગના આધારે ઓળખ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૨૬ મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે.


૧. જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.૩૪)

 ૨. સ્મિત મનીષભાઈ વાળા (ઉ.૨૨)

૩. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.૨૧)

૪. સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉ.૩૦)

૫. આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.૧૯)

૬. હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.૨૦)

૭. ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.૩૬)

 ૮. વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.૨૪)

૯. સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.૨૨)

૧૦. નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.૧૯)

૧૧. જયંત અનિલભાઈ ઘોરેચા (ઉ.૪૫)

 ૧૨. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.૧૨)

૧૩. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.૪૦)

૧૪. દેવાંશીબા(દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.૧૨)

૧૫. રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉ.૧૫)

 ૧૬. નિરવ રસીકભાઈ વેકરીયા (ઉ.૨૦-૨૫)

૧૭. શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.૨૫)

૧૮. વિવેક અશોકભાઈ દુસારા (ઉ.૨૮)

૧૯. ટીશા અશોકભાઈ મોડાસિયા (ઉ.૨૪)

૨૦. કલ્પેશ પ્રવીણભાઈ બગડા (ઉ.૨૨)

૨૧. ખ્યાતિ રતિભાઈ સાવલિયા (ઉ.૨૮)

 ૨૨. ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉ.૨૪)

૨૩. હરિતા રતિભાઈ સાવલિયા (ઉ.૨૫)

૨૪. મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.૩૦)

૨૫. પ્રકાશચંદ કનૈયાલાલ હિરણ (ઉ.૪૫)

૨૬. મોનુ કેશવ ગૌંડ (ઉ.૨૧)નો સમાવેશ થાય છે.


મુખ્યમંત્રીએ અનુસાર રાજકોટ ટી.આર.પી. ગેમઝોન દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને 4લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તને 50,000 રૂપિયાની જાહેરાત કરી હતી. જેમાં આજરોજ બપોરે 2 વાગ્યા સુધીમાં 10 પરિવારોને રૂપિયા 40 લાખની સહાય ચૂકવી દેવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application