રાજકોટ-ભુજ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ

  • March 24, 2025 07:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ-ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ ટ્રેનના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.


નવો સમય અને સ્ટોપેજ:


ટ્રેન નંબર 09445 રાજકોટ-ભુજ સ્પેશિયલ:

26 માર્ચ 2025થી રાજકોટથી 14.30 કલાકે ઉપડશે.

આદિપુર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 19.27/19.29 કલાકનો રહેશે.

અંજાર સ્ટેશન પર 19.36/19.38 કલાક નો રહેશે.

ભુજ 20.55 કલાકે પહોંચશે.


ટ્રેન નંબર 09446 ભુજ-રાજકોટ સ્પેશિયલ:

26 માર્ચ 2025થી ભુજથી 06.50 કલાકે ઉપડશે.

અંજાર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 07.18/07.20 કલાકનો રહેશે.

આદિપુર સ્ટેશન પર 07.29/07.31 કલાકનો રહેશે.

રાજકોટ 13.15 કલાકે પહોંચશે.


વધુ માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application