ભારતના ગૃહ મંત્રાલયે કહ્યું કે સોશિયલ અને અન્ય મીડિયા પ્લેટફોર્મ પર અનિચ્છનીય તત્વો દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રચાર પર કડક દેખરેખ રાખવી જોઈએ. રાજ્ય સરકારો અને કેન્દ્રીય એજન્સીઓના સહયોગથી, નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.
જો દેશમાં કે વિદેશમાં ગમે ત્યાંથી ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર ફેલાવવામાં આવશે, તો આવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવશે. સરહદી વિસ્તારોમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્ર વચ્ચે સતત સંપર્ક જાળવવા અને સુરક્ષા મજબૂત બનાવવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરવા.
ગૃહ મંત્રાલયે રાજ્યોને જનતામાં બિનજરૂરી ભય ફેલાતો અટકાવવા અને અફવાઓ સામે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે.રેલ્વે મંત્રાલયે તેના કર્મચારીઓને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ દ્વારા લશ્કરી ટ્રેનોની ગતિવિધિઓની વિગતો મેળવવાના પ્રયાસો સામે ચેતવણી આપી છે અને કહ્યું છે કે ગુપ્ત માહિતી કોઈપણ બિનસત્તાવાર વ્યક્તિ સાથે શેર કરવી નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech