લોકસભામાં વિપક્ષના નેતા રાહત્પલ ગાંધી અને કોંગ્રેસના સાંસદ પ્રિયંકા વાડ્રા ૨૦૨૫ના મહાકુંભમાં પ્રયાગરાજ પહોંચી શકે એવી શકયતા છે. રાહુલ–પ્રિયંકા ફેબ્રુઆરી મહિનામાં મહાકુંભમાં ડૂબકી લગાવવા પહોંચે તેવી ચર્ચાએ જોર પકડું છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા મહાકુંભ મેળા વિસ્તારમાં સ્થાપિત સેવાદળ કેમ્પની પણ મુલાકાત લેશે. રાહુલ–પ્રિયંકાની આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જો કે કેન્દ્રીય નેતૃત્વ તરફથી હજુ સુધી આવા કોઈ સંકેત મળ્યા નથી.
૧૩ જાન્યુઆરીથી મહાકુંભનો પ્રારભં થયો છે. અત્યાર સુધીમાં ૮ કરોડથી વધુ લોકો સ્નાન કરવા માટે સંગમ પહોંચી ચૂકયા છે. દેશ અને દુનિયાના ખૂણે ખૂણેથી લોકો શ્રદ્ધાની ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે રાહત્પલ ગાંધી અને પ્રિયંકા પણ પવિત્ર ડૂબકી લગાવવા માટે મહાકુંભમાં પહોંચી શકે છે. બંનેની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હકીકતમાં, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના સાંસદ પ્રિયંકા વાડ્રા ૨૦૨૫માં ફેબ્રુઆરીમાં મહાકુંભમાં પ્રયાગરાજ પહોંચી શકે છે.રાહત્પલ ગાંધી અને પ્રિયંકા મહાકુંભ મેળા વિસ્તારમાં સ્થાપિત સેવાદળ કેમ્પની પણ મુલાકાત લેશે. આ માટેની તૈયારીઓ ચાલી રહી છે. જોકે, કોંગ્રેસ દ્રારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. એવી પણ શકયતા છે કે રાહત્પલ ગાંધી ૨૨–૨૩ જાન્યુઆરીએ રાયબરેલીની મુલાકાત લે. તેઓ પોતાના સંસદીય મતવિસ્તાર રાયબરેલીમાં કાર્યકરો સાથે બેઠક કરશે.
પ્રદેશ પ્રમુખ અજય રાયે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાની મહાકુંભની મુલાકાત માટે કોઈ સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. કેન્દ્રીય નેતૃત્વ તરફથી હજુ સુધી આવા કોઈ સંકેત મળ્યા નથી. રાહત્પલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાના મહાકુંભમાં આવવાની ચર્ચા સાથે આ મુદ્દાએ જોર પકડું છે અને સ્થાનિક રાજકારણ શ થઈ ગયું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન યોતિએ કહ્યું કે રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાએ રાજકીય કૂદકો ન મારવો જોઈએ. તે જ સમયે, કેટલાક ભાજપના નેતાઓ બંનેની મહાકુંભની મુલાકાતનો વિરોધ કરી રહ્યા છે
પ્રયાગરાજમાં સેવા દળે એક શિબિર યોજી છે
મહાકુંભમાં રાહત્પલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાના આગમન પહેલા સેવા દળે પ્રયાગરાજમાં એક કેમ્પ લગાવ્યો છે. કોંગ્રેસીઓ પણ પ્રયાગરાજ ગયા છે અને ત્યાંથી માહિતી એકઠી કરી છે. નોંધનીય છે કે પ્રિયંકા ૨૦૧૯ માં કુંભ મેળામાં હાજરી આપી હતી. તેણીએ ત્યાં કુંભ સ્નાન કયુ છે. પ્રિયંકા વાડ્રા પણ કયારેક કયારેક ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે.રાહત્પલ–પ્રિયંકાની આ મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે મહાકુંભને લઈને સપા દ્રારા ઘણા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. અખિલેશ યાદવે ટીટ કરીને મહાકુંભની તૈયારીઓ પર સવાલ ઉઠાવ્યા હતા. અખિલેશે તો મહાકુંભમાં આવતા ભકતોના આંકડાઓને પણ બનાવટી ગણાવ્યા હતા. આવી સ્થિતિમાં, રાહત્પલ–પ્રિયંકાનું મહાકુંભમાં આવવું સપાને સંદેશ આપશે કે ધાર્મિક બાબતો પર રાજકારણ કરવું યોગ્ય નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech