RSS વડા મોહન ભાગવતના એક નિવેદન પર રાજકીય હોબાળો મચી ગયો છે. ભાષણ આપતી વખતે ભાગવતે કહ્યું હતું કે, અયોધ્યામાં રામલલ્લાના અભિષેકની તારીખ 'પ્રતિષ્ઠા દ્વાદશી' તરીકે ઉજવવી જોઈએ. કારણ કે ઘણી સદીઓથી દુશ્મનના હુમલાઓનો સામનો કરી રહેલા દેશની સાચી સ્વતંત્રતા આ દિવસે સ્થાપિત થઈ હતી. તેમના નિવેદન પર શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. આ અંગે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે આરોપ લગાવ્યો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતનું આ નિવેદન રાજદ્રોહ સમાન છે. ભાગવતે જે કહ્યું છે તે દરેક ભારતીયનું અપમાન છે અને જો આવું બીજા કોઈ દેશમાં બન્યું હોત, તો ભાગવતની અત્યારસુધીમાં ધરપકડ થઈ ગઈ હોત. ભાગવતે જે કહ્યું છે તે રાજદ્રોહ સમાન છે કારણ કે આ કહીને તેઓ કહેવા માગે છે કે બંધારણ ગેરકાયદેસર છે, અંગ્રેજો સામેની લડાઈ ગેરકાયદેસર છે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, બીજા કોઈ દેશમાં હોત તો અત્યારસુધીમાં તેની ધરપકડ થઈ ગઈ હોત અને તેના પર કેસ ચલાવવામાં આવ્યો હોત, તેમણે ઉમેર્યું કે, આવી બકવાસ સાંભળવાનું બંધ કરવાનો સમય આવી ગયો છે, આ બે વિચારધારાઓ વચ્ચેની લડાઈ છે, એક તરફ આપણો દૃષ્ટિકોણ છે જે બંધારણ અને બીજી બાજુ RSSનો દૃષ્ટિકોણ છે જે તેનાથી વિપરીત છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, દેશમાં બીજો કોઈ પક્ષ એવો નથી જે ભાજપ અને RSSના એજન્ડાને રોકી શકે, ફક્ત કોંગ્રેસ, અમે તેમને રોકી શકીએ છીએ. કારણ કે અમે એક વિચારધારા ધરાવતો પક્ષ છીએ.
રાહુલ ગાંધીએ આ પણ વાત કહી
રાહુલ ગાંધી કહે છે કે, આજે જે લોકો સત્તામાં છે તેઓ તિરંગાને સલામ કરતા નથી, રાષ્ટ્રધ્વજનું સન્માન કરતા નથી, બંધારણનું સન્માન કરતા નથી અને ભારત વિશે તેમનું દ્રષ્ટિકોણ આપણા કરતા સંપૂર્ણપણે અલગ છે, તેઓ ઇચ્છે છે કે, ભારત એક છૂપાયેલા, ગુપ્ત સમાજ દ્વારા ચલાવવામાં આવે તેઓ ઇચ્છે છે કે, ભારત એક માણસ દ્વારા ચલાવવામાં આવે અને તેઓ આ દેશનો અવાજ દબાવવા માંગે છે, તેઓ દલિતો, લઘુમતીઓ, પછાત જાતિઓ અને આદિવાસીઓના અવાજોને દબાવવા માંગે છે. આ તેમનો એજન્ડા છે અને હું એ પણ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે, આ દેશમાં બીજો કોઈ પક્ષ નથી જે તેમને રોકી શકે, એકમાત્ર પક્ષ જે તેમને રોકી શકે છે તે કોંગ્રેસ પક્ષ છે, તેનું કારણ આ એ છે કે આપણે એક વૈચારિક પક્ષ છીએ અને આપણી વિચારધારા ગઈકાલે આવી નથી, આપણી વિચારધારા હજારો વર્ષ જૂની છે જેમ કે આરએસએસની વિચારધારા અને તે હજારો વર્ષોથી આરએસએસની વિચારધારા સામે લડી રહી છે.
મોહન ભાગવતનું શું નિવેદન હતું?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે સોમવારે કહ્યું કે, અયોધ્યામાં રામલલ્લાના અભિષેકની તારીખ 'પ્રતિષ્ઠા દ્વાદશી' તરીકે ઉજવવી જોઈએ. કારણ કે, ઘણી સદીઓથી દુશ્મનોના હુમલાઓનો સામનો કરી રહેલા દેશને આ દિવસે સાચી સ્વતંત્રતા મળી હતી. આ અંગે કોંગ્રેસ અને શિવસેનાએ વળતો પ્રહાર કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech