શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં રેડીયોલોજીસ્ટ તરીકે નોકરી કરતા યુવકે ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. યુવક અમદાવાદથી બે દિવસ પેહલા જ રાજકોટ આવ્યો હતો. ક્યાં કારણોસર આપઘાત કર્યો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ ન્યારી ડેમમાં રવિવારે સાંજે સાડા સાતેક વાગ્યે એક યુવાનની લાશ તરતી હોવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી ૧૦૮ને જાણ કરતા ઇએમટીએ યુવકને મૃત જાહેર કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
મૃતક યુવાનના ખિસ્સામાંથી સ્ટર્લિંગ હોસ્પિટલનું આઇકાર્ડ મળતાં પોલીસે તેના આધારે તપાસ કરતા યુવાનનું નામ અરૂણકુમાર સેલ્વરાજ (ઉ.વ.૨૬) અને મુળ તામિલનાડુનો અને હાલ અમદાવાદમાં રહી ત્યાંની સ્ટર્લિંગ હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટ વિભાગમાં નોકરી કરતો હતો. રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગના બે કર્મચારી રજા પર હોવાથી તેની જગ્યાએ અરુણને અમદાવાદથી બે દિવસ પહેલા જ મોકલ્યો હતો. યુવકે ક્યાં કારણોસર પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલના ચકચારી હનિટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 આરોપીના જામીન કોર્ટે કર્યા મંજૂર
April 20, 2025 03:36 PMપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech