રાજકોટ સ્‍ટર્લિંગ હોસ્‍પિટલમાં બે દિવસ માટે અમદાવાદથી રેડિયોલોજીસ્‍ટની સેવા આપવા આવેલા યુવાને ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો

  • March 24, 2025 05:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં રેડીયોલોજીસ્ટ તરીકે નોકરી કરતા યુવકે ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. યુવક અમદાવાદથી બે દિવસ પેહલા જ રાજકોટ આવ્યો હતો. ક્યાં કારણોસર આપઘાત કર્યો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ ન્‍યારી ડેમમાં રવિવારે સાંજે સાડા સાતેક વાગ્‍યે એક યુવાનની લાશ તરતી હોવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી ૧૦૮ને જાણ કરતા ઇએમટીએ યુવકને મૃત જાહેર કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. 


મૃતક યુવાનના ખિસ્સામાંથી સ્‍ટર્લિંગ હોસ્‍પિટલનું આઇકાર્ડ મળતાં પોલીસે તેના આધારે તપાસ કરતા યુવાનનું નામ અરૂણકુમાર સેલ્‍વરાજ (ઉ.વ.૨૬) અને મુળ તામિલનાડુનો અને હાલ અમદાવાદમાં રહી ત્યાંની સ્‍ટર્લિંગ હોસ્પિટલમાં રેડિયોલોજીસ્‍ટ વિભાગમાં નોકરી કરતો હતો. રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગના બે કર્મચારી રજા પર હોવાથી તેની જગ્‍યાએ અરુણને અમદાવાદથી બે દિવસ પહેલા જ મોકલ્યો હતો. યુવકે ક્યાં કારણોસર પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application