પોરબંદરમાં તાજેતરમાં જ સુતારવાડા ખાતે બે વયોવૃધ્ધ બળદ પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાથી પોલીસની દરમિયાનગીરીથી જીવદયાપ્રેમીઓએ બળદને છોડાવ્યા હતા તેથી પોરબંદરના જીવદયાપ્રેમીએ આ મુદે આર.ટી.આઇ. કરી છે.
પોરબંદરના પશુપ્રેમી રમેશભાઇ માલદેભાઇ ઓડેદરાએ પશુ નિયામક સમક્ષ આર.ટી.આઇ. કરીને એવી વિગત માંગી છે કે પશુ જેવા કે, બળદ, ઉંટ, ઘોડા કે અન્ય ગુજરાત સરકારે જાહેર કરેલ નોટીફીકેશન કે જેમાં તેની વયમર્યાદા નક્કી કરેલ હોય તે નોટીફીકેશન અવા પરિપત્રની ખરી નકલ કચેરીના સહી સિક્કા સાથે આપવા અપીલ છે., ઉપરોકત તમામ પશુઓની વયમર્યાદા પૂર્ણ થઇ ગયા હોવા છતાં તે પશુના માલિકો દ્વારા બેરહમીપૂર્વક માલવાહન તરીકે ઉપયોગ કરવો, સતત બાંધી રાખવુું, પૂરતો ખોરાક ન આપવો વગેરે અન્ય કોઇપણ રીતે અત્યાચાર, ઉપયોગથતો હોય તો તે માટે પશુનિયામક અથવા તો જે કોઇની પણ જવાબદારી આવતી હોય તેવા અધિકારી, કર્મચારીઓના નામ, મોબાઇલ નંબર, તેમજ હોદો તેમજ સરનામુ વગેરેની માહિતી કચેરીના સહીસિક્કા સાથે લેખિતમાં આપવા માંગ છે., શહેરમાં રખડતા ભટકતા બિનવારસુ અને માલિકીપણાના પશુઓ તમામને સરકાર દ્વારા પકડીને આસરો આપવો, ખાધાખોરાકી, મેડિકલ સુવિધા વગેરેની જવાબદારી આપની કચેરીને સોંપવામાં આવેલ છે કે કેમ? અગર તો આપની કચેરીને સોપવામાં આવેલ હોય તો ગુજરાત સરકારે લખેલા તમામ પરીપત્રોની ખરી નકલો કચેરીના સહી સિક્કા સાથે આપવા માંગ છે. તેમ રમેશભાઇ ઓડેદરાએ જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓશવાળ એજયુ. ટ્રસ્ટનો વિવાદ વધુ વકર્યો : આર.કે. શાહનો વળતો પ્રહાર
April 30, 2025 10:45 AMપોરબંદરમાં ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની જુડો સ્પર્ધાએ જગાવ્યો રોમાંચ
April 30, 2025 10:41 AMઅમેરિકામાં ભારતીય ઉદ્યોપતિના પરિવારનું રહસ્યમય રીતે મોત
April 30, 2025 10:39 AMહવે ૭ હજાર મીટર કરતા ઊંચા પર્વતો ચઢનારાઓને જ એવરેસ્ટની પરવાનગી
April 30, 2025 10:36 AMભારતીય ઓટો કંપનીઓને મળી રાહત, ટ્રમ્પે ઓટો એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા
April 30, 2025 10:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech