પોરબંદરમાં તાજેતરમાં જ સુતારવાડા ખાતે બે વયોવૃધ્ધ બળદ પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાથી પોલીસની દરમિયાનગીરીથી જીવદયાપ્રેમીઓએ બળદને છોડાવ્યા હતા તેથી પોરબંદરના જીવદયાપ્રેમીએ આ મુદે આર.ટી.આઇ. કરી છે.
પોરબંદરના પશુપ્રેમી રમેશભાઇ માલદેભાઇ ઓડેદરાએ પશુ નિયામક સમક્ષ આર.ટી.આઇ. કરીને એવી વિગત માંગી છે કે પશુ જેવા કે, બળદ, ઉંટ, ઘોડા કે અન્ય ગુજરાત સરકારે જાહેર કરેલ નોટીફીકેશન કે જેમાં તેની વયમર્યાદા નક્કી કરેલ હોય તે નોટીફીકેશન અવા પરિપત્રની ખરી નકલ કચેરીના સહી સિક્કા સાથે આપવા અપીલ છે., ઉપરોકત તમામ પશુઓની વયમર્યાદા પૂર્ણ થઇ ગયા હોવા છતાં તે પશુના માલિકો દ્વારા બેરહમીપૂર્વક માલવાહન તરીકે ઉપયોગ કરવો, સતત બાંધી રાખવુું, પૂરતો ખોરાક ન આપવો વગેરે અન્ય કોઇપણ રીતે અત્યાચાર, ઉપયોગથતો હોય તો તે માટે પશુનિયામક અથવા તો જે કોઇની પણ જવાબદારી આવતી હોય તેવા અધિકારી, કર્મચારીઓના નામ, મોબાઇલ નંબર, તેમજ હોદો તેમજ સરનામુ વગેરેની માહિતી કચેરીના સહીસિક્કા સાથે લેખિતમાં આપવા માંગ છે., શહેરમાં રખડતા ભટકતા બિનવારસુ અને માલિકીપણાના પશુઓ તમામને સરકાર દ્વારા પકડીને આસરો આપવો, ખાધાખોરાકી, મેડિકલ સુવિધા વગેરેની જવાબદારી આપની કચેરીને સોંપવામાં આવેલ છે કે કેમ? અગર તો આપની કચેરીને સોપવામાં આવેલ હોય તો ગુજરાત સરકારે લખેલા તમામ પરીપત્રોની ખરી નકલો કચેરીના સહી સિક્કા સાથે આપવા માંગ છે. તેમ રમેશભાઇ ઓડેદરાએ જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMથોરાળા, કોઠારીયા અને પડધરીના ત્રણ યુવક દ્વારા ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ
February 24, 2025 03:09 PMજો પાર્ટીને તેમની જરૂર નથી તો તેમની પાસે વિકલ્પો છે: શશિ થરૂર
February 24, 2025 03:08 PMમેટોડામાં હિટ એન્ડ રન: બે વર્ષની બાળકીનું કાર અડફેટે મોત
February 24, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech