ગુજરાત રેરા ઓથોરિટી (રેરા) દ્રારા નવા મકાન ખરીદારનાર લોકો માટે મહત્વનો નિર્ણય કરાયો છે. લોકો રિયલ એસ્ટેટના નવા પ્રોજેકટની વિગતો આંગળીના ટેરવે જાણી શકશે આ માટે ડેવલપર્સે કયુઆરકોડ આપવા રેરાએ આદેશ કર્યેા છે. પ્રોજેકટ અંગેની જાહેરાત, બ્રોશર અને પ્રોસ્પેકટસમાં કયુઆર કોડ રાખવાનો ફરજિયાત કરતો રેરાએ પરિપત્ર કર્યેા છે. પરિણામે મિલકત ખરીદનાર વ્યકિતને સાઈટ પર ગયા વગર તમામ વિગતો ઉપલબ્ધ બની શકશે. ગંભીર પ્રકારના કાનૂની વ્યવહારો અને મૂંઝવણનો નિકાલ થશે રાય સરકારની રેરા ઓથોરિટી દ્રારા જન સમૂહના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે.
રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) એ સંભવિત ખરીદદારો માટે આ પ્રકારની માહિતી મેળવવાનું સરળ બનાવ્યું છે. માહિતી મેળવવાનું સરળ બનાવ્યું છે. તેણે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડયો છે. જેમાં પ્રોજેકટ વિશે રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્રારા પ્રકાશિત કરવામાં આવતી તમામ જાહેરાતો, બ્રોશરો, અને પ્રોસ્પેકટમાં કિવક રિસ્પોન્સ કયુઆર કોડ મૂકવા આદેશ કરાયો છે. આ નિર્ણય પહેલી ઓકટોમ્બરથી અમલમાં આવ્યો છે.
રિયલ એસ્ટેટની જાહેરાત જોઇને ઘણાં લોકોને તે પ્રોજેકટ અંગે માહિતી જોઇતી હોય છે. પરંતુ તેના માટે જેતે પ્રોજેકટ સાઇટ પર જવું પડે છે. તેના બદલે હવે આવી માહિતી સરળતાથી મળી શકે તે માટે ગુજરાત રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને તેના પ્રોજેકટ અંગેની ઝડપી માહિતી મળી રહે તેવો હેતુ છે. જાહેરાતમાં આઠ અંકનો રેરા નંબર અને ગુજરેરા વેબસલાઇટ દર્શાવવાની હાલની જરિયાત ઉપરાંત ડેવલપર્સે હવે જાહેરાતો અને માહિતી સામગ્રીમાં પ્રોજેકટનો કયુઆર કોડ સામેલ કરવો આવશ્યક છે.
રેરા નોંધણી પ્રમાણપત્રમાં અપાતા કયુઆર કોડ, હિસ્સેદારો–ઘર ખરીદનારાઓ રોકાણકારો અને અન્ય રસ ધરાવતા પક્ષકારોને તેમના સ્માર્ટફોન વડે તેને સ્કેન કરતાની સાથે સબંધિત પ્રોજેકટ વિશે વિગતવાર માહિતી મેળવી શકશે. જોકે કાનૂની દસ્તાવેજો જેમ કે એગ્રીમેન્ટ ફોર સેલ. વેચાણ ખત અને અન્ય બંધનકર્તા કરારો માટે ૮ –અંકના કોડને બદલે સંપૂર્ણ રેરા નોંધણી નંબરનો ઉપયોગ કરવો આવશ્યક છે. આનાથી ગંભીર કાનૂની વ્યવહારોમાં મૂંઝવણ અને ખોટી રજૂઆતો અટકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીનગરમાં 11 સ્થળોએ 150 આતંકીઓના ઘરો પર દરોડા
May 14, 2025 11:15 AMજામનગર શહેરમાં કારમાં દારૂની હેરાફેરી કરતા ત્રણને પકડી પાડતી LCB પોલીસ
May 14, 2025 11:15 AMહવે દર વર્ષે 23 સપ્ટેમ્બરે આયુર્વેદ દિવસ ઉજવાશે
May 14, 2025 11:13 AMઅગ્રણી મીડિયા હાઉસની સાથે જોડાયેલા જૂથો પર ઇન્કમટેક્સના મોટાપાયે દરોડા
May 14, 2025 11:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech