પોરબંદરમાં સુદામા ચોક ખાતે આવેલા બાલા હનુમાનજી મંદિરે હનુમાનજી વંદના મહોત્સવનું આયોજન કરવામાં આવતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
યુવા ઉદ્યોગપતિ કેતન ગજ્જર અને તેમની ટીમ દ્વારા બાલ હનુમાન મંદિરે હનુમાન વંદના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨,૫૧,૦૦૦ જેટલા લાડુના બોક્સ ની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું સાંજે મહા આરતીનું આયોજન કરવામાં આવતા પુજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાડુની મહાપ્રસાદી નું વિતરણ કરવામાં આવતા ૨ કિમી સુધીની લાંબી લાઈનો લાગી હતી. શીતળા ચોક સુધી પ્રસાદી માટે ભક્તો એ કલાકો સુધી રાહ જોઈ હતી. ત્યારબાદ રાત્રિના સમયે વંદના મહોત્સવ અંતર્ગત સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રીજરાજ ગઢવી અને ઋષભ આહીરે રંગ જમાવ્યો હતો મોડીરાત્રી સુધી હજારો હનુમાન ભક્તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણવીર અલ્હાબાદિયાએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનીઓની માફી માંગતા યુઝર્સ ભડક્યા
May 11, 2025 04:18 PM'ઓપરેશન સિંદૂર' હજુ પણ ચાલુ, વાયુસેનાએ ટ્વિટ કરી આપ્યું નિવેદન
May 11, 2025 12:59 PMયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMજાણો પાકિસ્તાને સિઝફાયર તોડ્યા પછી દેશના જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ હતી
May 11, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech