રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલીફોનીક વાત કરી અને આ દરમિયાન તેમણે યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ પર બિનશરતી સમાધાનની પણ તૈયારી બતાવી હતી. તેમણે આ તકે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચર્ચા માટે કોઈ પૂર્વશરતો નથી પરંતુ કોઈપણ સોદામાં કાયદેસર યુક્રેનિયન સત્તાવાળાઓ સામેલ હોવા જોઈએ.આ ઘટનાના પગલે છેલ્લા પોણા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધનો અતં આવે તેવા અણસાર સાપડી રહ્યા છે. પુતિને કહ્યું કે ઝેલેન્સ્કી સહિત કોઈપણ સાથે વાતચીત માટે તૈયાર છે.રોઇટર્સના રિપોર્ટમાં જણાવાયું છે કે પુતિને કહ્યું કે તેમણે ટ્રમ્પ સાથે વર્ષેાથી વાત કરી નથી, પરંતુ સંઘર્ષ અંગે ચર્ચા કરવા માટે તેમની સાથે મળવા માટે ગમે ત્યારે તૈયાર છે.
પુતિને એવા દાવાઓને ફગાવી દીધા હતા કે રશિયા નબળી સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે ૨૦૨૨માં યુક્રેન પર થયેલા હત્પમલા બાદ દેશ વધુ મજબૂત બન્યો છે. પુતિને કહ્યું હતું કે રશિયા વાટાઘાટો માટે તૈયાર છે, તેનો અથ એવો નથી કે તે નિસહાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કિવ પણ સમાધાન માટે તૈયાર હોવું જોઈએ. પુતિને કાયમી શાંતિ કરારની તરફેણમાં અસ્થાયી યુદ્ધવિરામની કોઈપણ શકયતાને નકારી કાઢી હતી.તેમણે ઉલ્લેખ કર્યેા કે ભાવિ વાટાઘાટો ઇસ્તંબુલમાં અગાઉના, બિનઅસરકારક પ્રસ્તાવ પર નિર્માણ થવી જોઈએ. જો કે, કેટલાક યુક્રેનિયન રાજકારણીઓ પુતિનના આ પગલાને શરણાગતિ તરીકે જોઈ રહ્યા છે. નોંધનીય છે કે યુદ્ધને કારણે વ્યાપક જાનહાનિ થઈ છે, લાખો લોકો વિસ્થાપિત થયા છે અને રશિયા અને પશ્ચિમ વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા છે. રશિયા દ્રારા યુક્રેનના પાંચમા ભાગ પર નિયંત્રણ હોવા છતાં, પુતિને નાટોના વિસ્તરણ સામે રક્ષણાત્મક કાર્યવાહી તરીકે પોતાના આક્રમણનો બચાવ કર્યેા છે. તેઓ યુક્રેન પર ટ્રમ્પ સાથે વાટાઘાટો કરવા ઇચ્છુક હોવા છતાં, પુતિને કહ્યું કે તેમણે ૨૦૨૨ કરતાં પહેલા યુક્રેનમાં સૈનિકો મોકલવા જોઈએ. તેમણે એમ પણ ઉમેયુ હતું કે રશિયાએ સંઘર્ષ માટે વધુ સારી રીતે તૈયાર હોવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech