પુતિને ૧૮ થી ૩૦ વર્ષની વયના ૧ લાખ ૬૦ હજાર યુવાનોને સેનામાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. આ ભરતી આગામી ત્રણ વર્ષમાં થશે અને 2011 પછીની આ સૌથી મોટી ભરતી છે. એવું માનવામાં આવે છે કે પુતિને યુક્રેન યુદ્ધ અને નાટોના વિસ્તરણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે, જોકે રશિયાનું કહેવું છે કે યુક્રેનમાં નવા સૈનિકો મોકલવામાં આવશે નહીં.
સેનામાં કુલ 23.9 લાખ સૈનિકો હોવા જોઈએ
અહેવાલ મુજબ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે રશિયન સેનામાં કુલ 23.9 લાખ સૈનિકો હોવા જોઈએ, જેમાં 15 લાખ સક્રિય સૈનિકોનો સમાવેશ થાય છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે, આગામી ત્રણ વર્ષમાં 1.8 લાખ વધુ સૈનિકોની ભરતી કરવામાં આવશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા યુક્રેન યુદ્ધને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ પુતિન સાથે આ બાબતે ચર્ચા કરી ચૂક્યા છે.
કોલ-અપ નોટિસ જારી
રશિયામાં, દર વર્ષે વસંત અને પાનખરમાં નવા સૈનિકોની ભરતી કરવામાં આવે છે. આ વખતે ૧.૬ લાખ યુવાનોને સેનામાં જોડાવા માટે બોલાવવામાં આવ્યા છે, જે ૨૦૨૪ કરતા ૧૦,૦૦૦ વધુ છે. ગયા વર્ષે ભરતી માટેની વયમર્યાદા ૨૭ થી વધારીને ૩૦ કરવામાં આવી હતી. યુવાનોને પોસ્ટ દ્વારા નોટિસ મોકલવામાં આવી રહી છે અને ૧ એપ્રિલના રોજ mos.ru વેબસાઇટ પર કોલ-અપ નોટિસ પણ જારી કરવામાં આવી છે.રશિયામાં ઘણા યુવાનો લશ્કરી ભરતી ટાળવા માટે અન્ય વિકલ્પો શોધી રહ્યા છે. માનવાધિકાર વકીલ ટિમોફે વાશ્કિનના મતે, યુદ્ધની શરૂઆતથી, દરેક ભરતી લોટરી જેવી બની ગઈ છે. નવા સૈનિકોની ભરતી માટે અધિકારીઓ વિવિધ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. રશિયા વર્ષમાં બે વાર સૈનિકોની ભરતી કરે છે અને આ ઉપરાંત, ઘણા લોકોને કરાર પર સેનામાં પણ સામેલ કરવામાં આવ્યા છે.
રશિયા સેનાનું કદ વધારવામાં મશગુલ
ફેબ્રુઆરી 2022 માં, વ્લાદિમીર પુતિને યુક્રેન પર હુમલો કરવાનો આદેશ આપ્યો. ત્યારથી તેમણે સેનાનું કદ ત્રણ વાર વધાર્યું છે. ડિસેમ્બર 2023 માં, રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધ અને નાટોના વિસ્તરણને કારણે સુરક્ષા જોખમોમાં વધારો થવાને કારણે સેનાનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. રશિયાના હુમલા પછી, ફિનલેન્ડ અને સ્વીડન પણ નાટોમાં જોડાયા, જેનાથી રશિયાની સુરક્ષા ચિંતાઓ વધુ વધી ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech