પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી અમુક કારખાના દ્વારા કેમિકલયુકત હોય તે પ્રકારના લાલ રંગના પાણી છોડવામાં આવી રહ્યા છે તેથી તે અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.
ઉદ્યોગનગરના રેલ્વે ફાટક નજીક પારસનગર સોસાયટીના રહેવાસી તસ્લીમ મન્સુરી દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિતમાં જાણ કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે અમારા વિસ્તારમાં જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી અજાણ્યા કારખાનાઓ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યુ છે જેમના હિસાબે અમોના બોરમાં પણ પાણી કલરવાળા થઇ ગયા છે તેમજ હાલવા ચાલવા માટે જગ્યા ના રહેતા અમો હાલાકી ભોગવી રહ્યા છીએ. તે ઉપરાંત રસ્તો પણ ખોદી નાખ્યો છે. જેના હિસાબે અમોનેે ઘરે પણ તે કલરવાળા પાણીમાંથી જઇને જવું પડી રહયુ છે અને અનેક લોકો ચામડીના રોગનો ભોગ બની રહ્યા છે. તે ઉપરાંત આજુબાજુના લોકો હાલના સમયમાં અજાણ્યા વ્યક્તિઓના હિસાબે પાણીજન્ય રોગનો ભોગ બની રહ્યા છે.
આ વિસ્તારમાં લાલ રંગના કલરવાળા પાણી કેમિકલયુકત હોવાની પૂરેપૂરી શકયતા છે તેથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તેના સેમ્પલ લેવા જોઇએ અને કયા કારખાનામાંથી પાણી વહાવવામાં આવે છે તે અંગે તટસ્થતાથી તપાસ હાથ ધરીને કોઇની શેહશરમ રાખ્યા વગર કારખાનેદારો સામે પણ કાર્યવાહી કરવી જોઇએ.તેવી માંગણી તસ્લીમ મન્શુરીએ કરી છે અને તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લઇ અને લોકઉપયોગી કાર્યવાહી કરવા અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામમાં આતંકી હુમલાની ઘટના વચ્ચે રાજકોટ એનએસજી દ્વારા ખાસ ટ્રેનિગ અપાઇ
April 25, 2025 02:53 PM'અમે ત્રણ દાયકા સુધી યુએસ અને પશ્ચિમી દેશોમાટે આતંકી સંગઠનોને ટેકો આપ્યો: પાકિસ્તાન
April 25, 2025 02:47 PMનર્સિંગ પરિક્ષાના મુદ્દે હાઇકોર્ટેની સરકારને રાહત, ભરતી પ્રક્રિયા રોકવાની માંગ ફગાવી
April 25, 2025 02:42 PMન્યૂયોર્ક ટાઈમ્સે હુમલાને આતંકવાદીના બદલે ઉગ્રવાદ ગણાવતા યુએસ સરકારે ઠપકો આપ્યો
April 25, 2025 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech