જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં રહેતા ૫૦ વર્ષના પ્રૌઢ મહિલાનું તળાવમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે બજરંગપુર ગામમાં રહેતા લીલાબેન જીતેન્દ્રભાઈ શ્રીમાળી નામના ૫૦ વર્ષના પ્રૌઢ મહિલા, કે જેઓ આજે સવારે પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા, ત્યારબાદ ગામના પીપળીયા તળાવના પાણીમાં પડી જતાં ડૂબી જવાના કારણે તેઓ ને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતક ના પતિ જીતેન્દ્રભાઈ ડાયાભાઈ શ્રીમાળીએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદઃ બાવળાની કેમિકલ કંપનીમાં દુર્ઘટના, ઝેરી ગેસ ગુંગળામણથી બે શ્રમિકોના મોત
March 27, 2025 09:18 PMગુજરાત સરકારની મોટી કાર્યવાહી, 471 અધિકારી-કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં
March 27, 2025 08:27 PMગુજરાતમાં બે વર્ષમાં 56 સરકારી શાળાઓ બંધ, સરકારનો સ્વીકાર
March 27, 2025 08:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech