બગસરામાં રામનવમીએ શોભાયાત્રા અને ધર્મસભા સહિત કાર્યક્રમો યોજાયા
બગસરામાં રામનવમીએ શોભાયાત્રા અને ધર્મસભા સહિત કાર્યક્રમો યોજાયા
March 30, 2026 11:58 AM
બગસરા શહેરમાં પણ ભવ્ય ઉજવણીના ભાગપે શ્રી રામ જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં બાળકો દ્રારા શ્રી રામ તેમજ શ્રી રામ દરબારના અલગ અલગ પાત્રો ભજવી લોકોમાં આકર્ષણ જગાવ્યું હતું. આ શોભાયાત્રામાં ટ્રેકટરમાં અલગ અલગ લોટ તૈયાર કરવામાં આવ્યા હતા.આ શોભાયાત્રામાં પોલીસ દ્રારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શોભાયાત્રા બાદ ભવ્ય ધર્મ સભા જેમાં હનુમાનજીના ઉપાસક એવા બાળ આર્યન ભગત તેમજ સ્થાનિક મંદિરોના સંતો મહંતો પોતાના આર્શિવચન આપી શહેરની ધર્મ પેમી જનતાને શ્રી રામના મહિમા સાંભળાવી હતી. ત્યારબાદ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમ જન મેદની ઉમટી પડી હતી