દિલ્હીમાં વીજ પોલ પર ખાલિસ્તાન તરફી સૂત્રો લખાયા

  • January 17, 2024 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગણતત્રં દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે જ પશ્ચિમ દિલ્હીના નિહાલ વિહાર વિસ્તારમાં એક થાંભલા પર ખાલિસ્તાન તરફી સૂત્રો લખેલા જોવા મળ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટનાના સંબંધમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. એક વરિ પોલીસ અધિકારીએ જણાવ્યું કે કોઈ અજાણ્યા વ્યકિતએ પોતાનો બાદ ઇરાદો પાર પડવા આ કૃત્ય કયુ હોવું જોઈએ. ફટેજ મેળવીને જે તે વ્કિતની ઓળખ મેળવવા તપાસ જારી છે.

ગણતત્રં દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે જ પશ્ચિમ દિલ્હીના નિહાલ વિહાર વિસ્તારમાં એક થાંભલા પર ખાલિસ્તાન તરફી સૂત્રો લખેલા જોવા મળ્યા હતા. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટનાના સંબંધમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. એક વરિ પોલીસ અધિકારીએ જણાવ્યું કે એક અજાણ્યા વ્યકિતએ થાંભલા પર એસજેએફ, ૨૬ જાન્યુઆરી, ખાલિસ્તાન લખ્યું હતું.અધિકારીએ કહ્યું, જે વિસ્તારમાં આ સૂત્રો લખેલા છે તે ખૂબ જ નિર્જન છે અને ભાગ્યે જ કોઈ ત્યાં આવે છે. અમને શંકા છે કે વ્યકિતએ સોમવારે રાત્રે આ સૂત્રો લખ્યા હતા.'' અધિકારીએ કહ્યું, ''અમારા કર્મચારીઓને એક વીડિયો દ્રારા આ વિશે જાણ થઈ. આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો હતો.' પોલીસે જણાવ્યું હતું કે તેઓ ખાલિસ્તાન તરફી સૂત્રો લખનાર વ્યકિતને ઓળખવા માટે વિસ્તારના સીસીટીવી ફટેજની તપાસ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application