ICC એ T20 વર્લ્ડ કપ 2024 માટે પ્રાઈઝ ફંડની જાહેરાત કરી છે. જાણો વિજેતા ટીમ કેટલા કરોડ રૂપિયા કમાશે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024 માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. આ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં વિશ્વના વિવિધ 20 દેશોની ટીમો ભાગ લઈ રહી છે. વર્લ્ડ કપ ટ્રોફી જીતનારી ટીમને ઇનામ તરીકે 2.45 મિલિયન યુએસ ડોલર એટલે કે ભારતીય ચલણમાં અંદાજે 20.4 કરોડ રૂપિયા આપવામાં આવશે. રનર-અપ ટીમ માટે ઈનામની રકમ 1.28 મિલિયન યુએસ ડોલર રાખવામાં આવી છે. ભારતીય ચલણ પ્રમાણે રનર્સ અપ ટીમને અંદાજે 10.6 કરોડ રૂપિયા આપવામાં આવશે. સારી વાત એ છે કે ટુર્નામેન્ટમાં નીચા સ્થાને રહેલા દેશોને પણ ફંડ આપવામાં આવશે.
ICC એ પ્રાઈઝ ફંડ કર્યું જાહેર
ભારતીય ચલણના સંદર્ભમાં, ICC એ T20 વર્લ્ડ કપ 2024 માટે કુલ 93.5 કરોડ રૂપિયાનું ઈનામી ફંડ તૈયાર કર્યું છે. જો કે વિજેતા ટીમ પર કરોડો રૂપિયાનો વરસાદ થશે, પરંતુ સેમી ફાઇનલિસ્ટ અને છેલ્લે સ્થાન મેળવનારી ટીમને પણ ઇનામ ફંડમાંથી કેટલીક રકમ આપવામાં આવશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની આ પહેલ મહત્વની છે કારણ કે યુગાન્ડા, પાપુઆ ન્યુ ગિની સહિતના ઘણા સહયોગી દેશોમાં ક્રિકેટની રમત સંઘર્ષમય સ્થિતિમાં છે અને ICC દ્વારા આપવામાં આવતા ફંડથી ત્યાં ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.
ઇનામ ભંડોળ કેવી રીતે અપાશે ?
T20 વર્લ્ડ કપ 2024ની વિજેતા ટીમને 20.4 કરોડ રૂપિયા અને રનર-અપ ટીમને 10.6 કરોડ રૂપિયા ઈનામ તરીકે મળશે. જ્યારે અન્ય સેમી ફાઇનલિસ્ટ ટીમોને લગભગ 6.54 કરોડ રૂપિયા મળશે. સુપર-8 સ્ટેજથી આગળ ન વધતી દરેક ટીમને 3.17 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે. 9માથી 12મા ક્રમે આવનાર દરેક ટીમને લગભગ 2.05 કરોડ રૂપિયા મળશે. 13માથી 20મા સ્થાને રહેલી ટીમો માટે પણ સારા સમાચાર છે. કારણ કે છેલ્લા આઠમાં સ્થાન મેળવનારી દરેક ટીમને લગભગ રૂ. 1.87 કરોડ મળવાના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech