યુપીના બહરાઈચમાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન અહીંશા સર્જાઈ હતી. મૂર્તિ વિસર્જન દરમિયાન ગોળી વાગતાં એક યુવકનું મોત થયું હતું. આ ઘટનાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ જિલ્લામાં વિવિધ સ્થળોએ મૂર્તિઓનું વિસર્જન અટકાવીને વિરોધ શરૂ કર્યો છે.
આ ઘટના પર વિપક્ષ ઉત્તર પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ રાજ્ય સરકારને હિંસા રોકવાની અપીલ કરી છે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ હિંસા બંધ કરવાની કરી હતી અપીલ
બહરાઈચમાં દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન થયેલા હોબાળા અંગે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ઉત્તર પ્રદેશના બહરાઈચમાં હિંસા અને વહીવટીતંત્રની નિષ્ક્રિયતાની ધટના અત્યંત દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. હું રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્ય પ્રશાસનને તાત્કાલિક પગલાં લેવા અને હિંસા રોકવા માટે લોકોને અપીલ કરું છું કે તેઓ કાયદો પોતાના હાથમાં ન લે અને શાંતિ જાળવી રાખે. દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
અવધેશ પ્રસાદે તપાસની ઉઠાવી હતી માંગ
બહરાઈચમાં બનેલી ઘટના પર સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું, 'આ ખૂબ જ દુઃખદ છે, આ પ્રસંગે સૌને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ સંવાદિતા જાળવવા માટે દરેક શક્ય રીતે યોગદાન આપે અને તે સુનિશ્ચિત કરે કે આગળ કોઈ ઘટના ન બને. આ ઘટના તપાસનો વિષય છે.
સામાન્યતા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ
આ પહેલા આ ઘટના અંગે માહિતી આપતા બહરાઈચના પોલીસ અધિક્ષકે કહ્યું હતું કે, મહસી તહસીલ હેઠળના મહારાજગંજ વિસ્તારમાં તણાવ હતો. જ્યારે એક જુલુસ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અન્ય સમુદાયના વ્યક્તિ પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ પોલીસે 30 જેટલા લોકોની અટકાયત કરી છે. અશાંતિથી પ્રભાવિત તમામ વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય બનાવવાના પ્રયાસો ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech