પ્રિયંકા ચોપરા છેલ્લા 5 વર્ષથી બોલિવૂડથી દૂર છે. અભિનેત્રી છેલ્લે વર્ષ 2019માં આવેલી ફિલ્મ ‘સ્કાય ઇઝ પિંક’માં જોવા મળી હતી. તે પછી તે હોલીવુડ તરફ વળી અને હિન્દી ફિલ્મોથી સંપૂર્ણપણે દૂર થઈ ગઈ. હવે તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, પ્રિયંકા ચોપરા હવે 5 વર્ષ પછી બોલિવૂડમાં કમબેક કરવા માટે તૈયાર છે. ગ્લોબલ એક્ટ્રેસે તેની મચઅવેટેડ ફિલ્મ ‘જી લે ઝરા’ વિશે પણ સંકેત આપ્યા છે.
પ્રિયંકા ચોપરા 2019 થી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી નથી. અભિનેત્રી છેલ્લા 5 વર્ષથી હિન્દી ફિલ્મોથી દૂર છે, પરંતુ હવે તે ટૂંક સમયમાં બોલિવૂડમાં કમબેક કરવા માટે તૈયાર છે. ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા આવતા વર્ષે તેના ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપવા જઈ રહી છે.
મીડિયા પોર્ટલ સાથે વાત કરતી વખતે પ્રિયંકા ચોપરાએ તેના પુનરાગમન વિશે વાત કરી. અભિનેત્રીનું કહેવું છે કે તે વર્ષ 2025માં તેના બોલિવૂડમાં કમબેકની જાહેરાત કરવા જઈ રહી છે. દેશી ગર્લ આગળ કહે છે, ‘હું મજાક નથી કરતી. હું અહીં ઘણા ફિલ્મ નિર્માતાઓને મળું છું અને સ્ક્રિપ્ટ વાંચું છું. હું હિન્દી ફિલ્મોની સ્ક્રિપ્ટ વાંચી રહી છું અને કામ કરવા માંગુ છું. આ વર્ષે હું ખૂબ જ વ્યસ્ત હતી, પણ એક સરપ્રાઈઝ છે.’
પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘જી લે ઝરા’ મોકૂફ રખાઈ હતી
જ્યારે આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથેની ફિલ્મ ‘જી લે ઝરા’ના અપડેટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ‘દેશી ગર્લ’ કહે છે કે તેણે આ વિશે ફરહાન અખ્તર સાથે વાત કરવી પડશે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2021માં આલિયા ભટ્ટ, કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા સ્ટારર ફિલ્મ ‘જી લે ઝરા’ની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, અજ્ઞાત કારણોસર આ ફિલ્મ મુલતવી રાખવામાં આવી હતી અને અત્યાર સુધી તેના વિશે કોઈ અપડેટ નથી.
હવે પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘સ્કાય ઈઝ પિંક’ની વાત કરીએ તો અભિનેત્રીની આ ફિલ્મ ફરહાન અખ્તર સાથે વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને વિવેચકોએ ખૂબ વખાણી હતી. ત્યારથી દેશી ગર્લ હોલીવુડની ફિલ્મોમાં સક્રિય છે. થોડા સમય પહેલા અભિનેત્રી ‘સિટાડેલ’માં જોવા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech