સૌરાષ્ટ્ર્રમાં સુરેન્દ્રનગર દ્રારકા ઉપરાંત પાટણ બનાસકાંઠા અરવલ્લી નર્મદા પંચમહાલ તાપી અને દાહોદ જિલ્લામાં મધ્યાન ભોજન યોજના એટલે કે પીએમ પોષણ યોજના નું ખાનગીકરણ થઈ રહ્યું હોવાનો ચોકાવનારો આક્ષેપ ઓલ ગુજરાત રાય મધ્યાન ભોજન કર્મચારી મંડળ દ્રારા કરવામાં આવ્યો છે. આ સંદર્ભે આગેવાનો દ્રારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે.
દ્રારકા સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા અરવલ્લી નર્મદા પંચમહાલ તાપી અને દાહોદ જિલ્લા માટે આદિજાતિ વિસ્તારના આ પ્રોજેકટ માટે એનજીઓને જમીન ફાળવવાનો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ દ્રારા જે તે જિલ્લા કલેકટરોને આદેશ કરવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે.
મુખ્યમંત્રી સમક્ષની રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે મધ્યાન ભોજન યોજનામાં છેલ્લા ૪૦ વર્ષથી નજીવા વેતનથી કામ કરતા આદિજાતિ અનુસૂચિત જાતિના ત્યકતા, વિધવા બહેનોની રોજગારી આનાથી છીનવાઈ જશે અને આમ છતાં જો સરકાર પોતાના નિર્ણયને વળગી રહેશે તો અમારે નાછૂટકે આંદોલન કરવાની ફરજ પડશે.
ગુજરાત સરકારના આદેશ મુજબ ઉનાળામાં બે કલાક અને શિયાળામાં ચાર કલાક અગાઉ બનાવવામાં આવેલ રસોઈ પીરસી શકાશે. તેનાથી વધુ સમય અગાઉ બનાવેલી રસોઈ પીરસી નહીં શકાય. અત્યારે દરેક પ્રાથમિક શાળામાં વાહન મારફતે સેન્ટ્રલ રસોડામાં રાંધેલ ખોરાક પહોંચાડવામાં આવે છે. સરકારે જે જિલ્લાની પસંદગી કરી છે તેમાં આદિવાસી વિસ્તારમાં જે તે કેન્દ્ર સેન્ટ્રલ રસોડાથી ૩૦ ૪૦ કિલોમીટર દૂર હોય છે અને વાહન મારફતે રસોઈ તથા પૌષ્ટ્રિક અલ્પાહાર એમ બંને એકસાથે સવારે ૧૦:૦૦ વાગે પહોંચાડવામાં આવે છે. ઉનાળામાં આવી રસોઈ સ્વાદિષ્ટ્ર રહેતી નથી. આ ઉપરાંત ચોમાસામાં ગામડાઓમાં વાહનોની અવરજવર બધં થઈ જતી હોવાથી અથવા તો વાહનો લઈ જવાનું મુશ્કેલ હોવાથી અનેક પ્રશ્નો સર્જાય છે. આ પરિસ્થિતિમાં સરકારે વ્યવસ્થા કરવાના બદલે ખાનગીકરણ કરવાનો વિચાર કર્યેા છે તેનો અમે વિરોધ કરીએ છીએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech