રાજયની તમામ હોસ્પિટલ સહિતની આરોગ્ય સેવાઓ આપતી સંસ્થાઓ અને ડાયોસ્ટિક લેબ માટે ધ કિલનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એકટ–૨૦૨૪ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જેના ભાગપે જ રાજયના આરોગ્ય વિભાગ દ્રારા સધન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
તા.૧૨મી માર્ચ ૨૦૨૫ સુધીમાં રાજયની તમામ હોસ્પિટલ્સએ આ અધિનિયિમ હેઠળ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે.
અત્યાર સુધીમાં તા.૨૦ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ રાયની ૭૯૮૯ આરોગ્ય સંસ્થાઓએ કાયમી રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ૨૮૧૬ સરકારી, ૫૧૭૩ ખાનગી આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે.
જેમાં ૬૫૩૬ એલોપેથી, ૫૪૩ આયુષ હોસ્પ્િટલ્સ, ૯૧૦ હોમિયોપેથી, ૭૭ ડેન્ટલ કિલનીક, ૧૦૮ ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલનો સમાવેશ થાય છેે. ૫૦થી ઓછી પથારી ધરાવતી ૭૬૦૭ અને ૫૦થી વધુ પથારી ધરાવતી ૩૨૬ હોસ્પિટલ્સે અત્યાર સુધીમાં આ એકટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે.
રાષ્ટ્ર્રીય, રાય અને જિલ્લ ા સ્તરે કિલનીકલ એસ્ટાબ્લિશમેન્ટની ડિજિટલ રજિસ્ટ્રી સ્થાપિત કરવી ખુબ જ જરી છે. રજીસ્ટ્રેશન સિસ્ટમ દાખલ કરીને અયોગ્ય પ્રેકિટશનરો દ્રારા ઐંટવૈદું રોકી શકાશે. જે હેતુથી જ રાયની તમામ આરોગ્ય સંસ્થાઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરાયું છે.
આ એકટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓએ, કિલનિક સંસ્થાઓના તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયોસ્ટિક સેવાઓ માટે, એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિધ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓ ઉપરાંત કિલનિક, કન્સલ્ટિંગ મ, પોલીકિલનિક ઉપરાંત ૧૫ બેડથી લઇ ૧૦૦થી વધુ પથારીઓ ધરાવતી હોસ્પ્િટલ્સમાં બેડ પ્રમાણે તબક્કાવાર નોંધણી તેમજ સ્ટેન્ડઅલોન લેબ અન્ય ડાયોસ્ટિક યુનિટમાં પણ નિયત ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે.
ઉપર દર્શાવેલ તમામ કેટેગરીની આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપતી સંસ્થાઓએ કામચલાઉ–કાયમી ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રો લેવા ફરજીયાત છે. પ્રમાણપત્ર વિના કાર્યરત આમાંથી કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે .૧૦ હજારથી ૫ લાખ સુધીના દંડની તેમજ સંસ્થાને સીલ મારવા સુધીની જોગવાઇ છે.
ગુજરાત કિલનીકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજીસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ તારીખ ૨૨–૫–૨૦૨૧ના રોજ ગેઝેટમાં પ્રકાશિત થયો હતો અને આ કાયદો તારીખ ૧૩–૯–૨૦૨૨ના રોજ સમગ્ર રાયમાં અમલમાં આવેલ છે. ગુજરાત કિલનીકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજીસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ, ૨૦૨૧ અંતર્ગત નિયમો અને નિયમન તારીખ ૧૩–૦૩–૨૦૨૪ના રોજ ગેઝેટમાં પ્રસિદ્ધ થઇ અમલમાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech