પોતાના ગુજરાત પ્રવાસના આજે બીજા અને અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ વર્ષ–૨૦૨૫ અંતર્ગત કાર્યક્રમમાં વડાપ્રધાના હસ્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્રારા બજેટમાં ફાળવવામાં આવેલી રૂા.૩૦૨૨૫ કરોડની રકમમાંથી પ્રથમ હાની રૂા.૩૩૦૦ કરોડની ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ નાણાથી ગુજરાતના ૧૬૬ શહેરી સ્થાનિક સંસ્થાઓના નાગરિકોના જીવનપર સકારાત્મક અસર પડશે એવી આશા વ્યકત કરવામાં આવી હતી.
સાબરમતી રીવર ફ્રન્ટના ફેઝ–૩ અમદાવાદ, વિવિધ શહેરોના ૨૨૦૦૦ પરિવારોને પોતાના આવાસ, બાયો ડાયવર્સિટી પાર્ક સુરત, અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ૧૮૦૦ બેડની હોસ્પિટલ સહિતના જન સુખાકારીના ૫૫૩૬ કરોડના જુદા જુદા કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાને આ કાર્યક્રમમાં ગુજરાતે છેલ્લા ૨૦ વર્ષમાં શહેરી વિકાસના મામલે હાંસલ કરેલી સિધ્ધિઓને બિરદાવી હતી. છેલ્લા ૨૦ વર્ષમાં શહેરી વસ્તીમાં વધારા સાથે શહેરીકરણને વેગ મળ્યો છે. અગાઉ સાત મહાનગરપાલિકાઓ હતે તે અત્યારે ૧૭ બની ગઇ છે. ૨૦ વર્ષ પહેલા શહેરી વિકાસનું બજેટ ૬૬૧ કરોડનું હતું તે ૪૫ ગણા વધારા સાથે ૩૦૨૨૫ કરોડનું થયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશમાં અગ્રેસર હોવાનું જણાવાયું હતું.
મહાત્મા મંદિર ખાતેના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, આવાસ અને શહેરી વિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રી મનોહર લાલ, કેન્દ્ર સરકારના જળ સંપતિ વિભાગના મંત્રી સી.આર. પાટીલ સહિતનાઓ ઉપસ્તિ રહ્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહાત્મા મંદિર ખાતે સવા કલાકના કાર્યક્રમ બાદ બપોરે એકાદ વાગે અમદાવાદ અરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા હતાં. મહાત્મા મંદિરનો કાર્યક્રમ ૧૧ વાગે શ થયો હતો અને સવા બાર વાગે પૂર્ણ થયોે હતો. જે દરમિયાન તેઓએ . ૫૫૩૬ કરોડથી વધુ રકમના વિવિધ પ્રોજેકટસનું ખાતમુહર્ત તથા ઉધ્ઘાટન કરવામા આવ્યું હતુ.
આ ઉધ્ઘાટનોના કાર્યક્રમમાં પીએમ આવાસ યોજનામાં બનેલા ૨૨૦૫૫ મકાનો, સુરત ખાતે વાઇલ્ડવેલી બાયોડાયવર્સિટી પાર્ક, હીરાપુર બેરેજ તથા અન્ય પ્રોજેકટસ સમાવિષ્ટ્ર થયો છે.
યારે ખાતમુહર્તેાના કાર્યક્રમમાં સાબરમતી રિવરફ્રન્ટનો ત્રીજો તબક્કો, થરાદ–ધાનેરા પાઇપલાઇન પ્રોજેકટ, દિયોદરલાખાણી પાઇપલાઇન પ્રોજેકટ, બોટાદ–ખેડા– મહેમદાવાદ– ધંધૂકા અને નડિયાદ ખાતે અમૃત ૨.૦ના પ્રોજેકટસ, અસારવા સિવિલમાં જૂના કોમ્પ્લેકસ તોડી તેના સ્થાને ૧૮૦૦ બેડની ૧૧ માળની નવી મેડિસિટી હોસ્પિટલ તથા ૫૦૦ બેડની ચેપીરોગની હોસ્પિટલ સહિતના વિવિધ પ્રોજેકટસ સામેલ કરવામાં આવ્યો હતો.
વર્ષ ૨૦૦૫થી ૨૦૨૫ સુધીના ૨૦ વર્ષમાં ગુજરાતમાં શહેરી ક્ષેત્રે થયેલી કાયાપલટ અંગે ૭ મિનિટની ફિલ્મ કાર્યક્રમમાં દર્શાવવામાં આવી હતી.તેમજ રાયો કલીન એર પ્રોગ્રામ, ૧૭ મહાનગરોના વિકાસ પ્લાનનું લોન્ચિંગ પણ પીએમ દ્રારા દ્રારા કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરમાં યોજાયો વડાપ્રધાનનો રોડ–શો
ભારતીય સેનાએ મા–ભારતીને તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા ભારત માતા કી જય અને વંદે માતરમ'ના જયઘોષ સાથે આજે ઓપરેશન સિંદૂરનો ભવ્યાતિભવ્ય વિજયોત્સવ મનાવ્યો હતો. ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાયો હતો. સવારે ૧૦.૩૦ કલાકે ગાંધીનગર ખાતે રોડ શો ગાંધીનગરના અભિલેખાગરથી મહાત્મા મંદિર સુધી રોડ શો મા ભાજપના કાર્યકતાઓ સહિત સ્થાનિક લોકો પી.એમ.મોદીનું ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બદલ અભિવાદન કરવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ફરી નકલી પોલીસ અને પત્રકારે પૈસા પડાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ
June 03, 2025 05:57 PMઠગ લાઇફ વિવાદ બાદ કમલ હાસને માફી માંગવાનો કર્યો ઇનકાર, 'ઠગ લાઈફ' કર્ણાટકમાં નહીં થાય રિલીઝ
June 03, 2025 05:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech