જુના રેલ્વે સ્ટેશન પાસે દબાણો હટાવાયા

  • October 07, 2023 02:41 PM 

મહાપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા અંબર ટોકીઝ પાસે આવેલ જુના રેલવે સ્ટેશન બહારના વિસ્તારમાં મહાપાલિકાની હદની જમીન ઉપર થયેલ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દર વખતે જયારે-જયારે કોર્પોરેશન કે રેલ્વે દ્વારા આ પ્રકારની દબાણ હટાવ ઝુંબેશ કરવામાં આવે છે ત્યારે કલાકોમાં જ પાછા ઝુપડા બની જાય છે, કાયમી ઉકેલ કેમ કરવામાં આવતો નથી ? એવા પ્રશ્ર્નો ઉઠયા છે, આ વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ ખુબ થાય છે એટલે કોર્પોરેશન, રેલ્વે અને પોલીસે સાથે મળીને આ દબાણ કાયમી રીતે દુર થાય તેવી કાર્યવાહી કરવી જોઇએ. આ સાથે અંદરની જમીન રેલવેનો કબજો હોય રેલવે તંત્રને જાણ કરી હતી, આ કાર્યવાહીમાં સ્થાયી સમિતિના ચેરમેન નિલેશ કગથરા એસ્ટેટ શાખાના અધિકારી સુનિલ ભાનુશાળી યુવરાજસિંહ ઝાલા તેમજ અન્ય કર્મચારીઓ સાથે પોલીસ પણ હાજર રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application