ગુજરાત રાયમાં જંગલ વિસ્તારમાં વધારો થઈ રહ્યો નથી ત્યારે જંગલની જમીન પર મોટાપાયે દબાણ વધી ગયા ની ચિંતા વ્યકત કરવામાં આવી છે રાયના ૧૩૦૦૮ હેકટર જંગલ વિસ્તાર પર દબાણો થયા ની વિગતો બહાર આવી છે રાય સરકાર સામાન્ય લોકોના દબાણ હટાવવા પર ઝુંબેશ ચલાવે છે પરંતુ વનવિસ્તાર હસ્તકની જમીનો પરના દબાણો હટાવી શકતી નથી.ગુજરાતમાં કુલ ૧૩૦૦૮ હેકટર જંગલ જમીન પર દબાણો છે.
રાયમાં અનેક સ્થળે દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે અને મોટાપાયે સ્ટ્રકચર પણ ધરાશાયી કરાઇ રહ્યા છે. કેટલાક યાત્રાધામ સ્થાન ઉપર પણ વર્ષેાથી રહેતા નાગરિકોના મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયા છે ત્યારે વન વિભાગ હસ્તકની જમીન ઉપરના દબાણો પ્રત્યે આખં આડા કાન કરાતા હોય તેમ મોટાપાયે દબાણો છે.
લોકસભામાં વન–પર્યાવરણ મંત્રાલય દ્રારા અપાયેલી માહિતી મુજબ ગુજરાતમાં માર્ચ–૨૦૨૪ના છેલ્લ ા આંકડા મુજબ ૧૩ હજારથી વધુ હેકટર વન ભૂમિ ઉપર અતિક્રમણ કરાયેલું છે. વન મંત્રાલયે જવાબમાં સ્પષ્ટ્રપણે જણાવ્યું છે જંગલ જમીન પરના દબાણો હટાવવાની જવાબદારી રાય સરકારની છે. આ માટે યોગ્ય કાયદાકીય જોગવાઇઓ પણ છે. કેન્દ્ર સરકાર દ્રારા અવારનવાર આવા દબાણો હટાવવા માટે સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે. વન વિભાગના સ્ટાફને વારંવાર પેટ્રોલિંગ કરીને દબાણો ન થઇ જાય તેની તકેદારી રાખવા પણ તાકીદ કરવામાં આવતી હોય છે. લોકસભાની પ્રશ્નોત્તરી દરમિયાન જાહેર થયેલા આંકડા મુજબ ગુજરાત કરતા કેરળમાં મોટાપાયે વન વિસ્તાર હોવા છતાં ૪૯૭૫ હેકટર, ઉત્તરાખંડમાં ૪૯૯૨ હેકટર, પંજાબમાં ૭૫૬૭ હેકટર વિસ્તારમાં જ જંગલ જમીન ઉપર દબાણો થયેલા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech