રાજકોટથી દુબઈ અને થાઇલેન્ડની ફલાઇટ માટે તૈયારીઓ

  • July 17, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ગ્રાઉન્ડ કરી દેવાની જાહેરાત બાદ કરી ટેકઓફ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં આકાર લઇ રહેલા મુખ્ય બિલ્ડિંગમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલનું ઇન્ટીગ્રેટેડ કરવાના પ્લાનને હાઈ લેવલથી મંજૂરીની મહોર લાગી ગઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય બિલ્ડિંગમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગામી બે મહિનામાં પૂરું કરી દેવામાં આવશે. આ દરમિયાન ઇન્ટરનેશનલ ફ્લાઈટ માટે ઓથોરિટી અને ઈન્ડિગો એરલાઇન્સ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં રાજકોટથી દુબઈ, બેંગકોકની ફલાઇટ શરૂ થાય તેવી સંભાવના વ્યક્ત થઇ રહી છે.
રૂ.1400 કરોડના ખર્ચે 2500 એકરમાં 3040 મીટર લાંબા રન વે એરપોર્ટ તૈયાર થઈ ચૂક્યું છે અત્યારે મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ નું કામ 70% પૂરું થઈ ગયા બાદ એવી જાહેરાત કરવામાં આવી હતી કે રાજકોટ હીરાસર એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન નહિ ભરે ઓથોરીટીના આ સત્તાવાર નિવેદન બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે ઉહાપો મચી ગયો હતો. લોકોમાંથી આ બાબતે ભારે વિરોધ ઉઠતા તેના પડઘા દિલ્હી સુધી પહોંચ્યા હતા અને સમગ્ર મામલો ઓથોરિટીના મુખ્ય ચેરમેનએ સંભાળ્યો હતો.

શનિવારે ફરી ઓથોરિટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે ઓક્ટોબર મહિનાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ જશે હાલમાં મુખ્ય ટર્મિનલ બિલ્ડિંગમાં ઈમિગ્રેશન, સિક્યુરિટી સહિત પેસેન્જરો માટે વિવિધ સુવિધા ઉભી કરવાની કામગીરીમાં તંત્ર વ્યસ્ત થઈ ગયું છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મુખ્ય બિલ્ડીંગમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એમ બે ભાગ પાડવામાં આવશે જેમાં ગ્લાસનો ઉપયોગ કરી આ પાર્ટીશન તૈયાર કરાશે. ઇન્ટરનેશનલ બિલ્ડીંગમાં એરલાઇન્સ માટે બે સેટઅપ ઉભા થશે. જ્યારે ત્રણ ઇન્ટરનેશનલ ફ્લાઈટનું સંચાલન સરળતાથી કરી શકાય તે માટેની સુવિધા ઉભી કરાશે જ્યારે ડોમેસ્ટિકમાં ત્રણ એરલાઇન્સ માટે સેટઅપ થશે.
ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ ફુલ ફ્લેશમાં શરૂ થઈ ગયા બાદ રાજકોટ હીરાસર એરપોર્ટ પરથી કુલ 12 થી 14 ફ્લાઇટનું હેન્ડલિંગ કરવા ઓથોરિટી સક્ષમ થઈ શકશે તે પ્રકારની સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે.

ઈન્ડિગો એરલાઇન્સ પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શ કરે તેવી સંભાવના
રાજકોટ હીરાસર ખાતેથી પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઈન્ડિગો એરલાઇન્સ શરૂ કરે તેવી સંભાવના વ્યક્ત સૂત્રો એ કરી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ ઓથોરિટી દ્વારા ઈન્ડિગો એરલાઇન સાથે વાટાઘાટો ચાલી રહી છે. એરઇન્ડિયાએ રાજકોટ થી ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ કરવા માટે હજુ તૈયારી દશર્વિી નથી. જોકે અન્ય એરલાઇન તે પણ રાજકોટ હીરાસર એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે હજુ એપ્રોચ નથી કર્યો. એરલાઇન્સએ પણ થોભો અને રાહ જોવો જેવી નિતી અપ્નાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application