રાજકોટમાંકાળઝાળ ગરમી વચ્ચે લૂ લાગવાથી એક વ્યકિતનું બેભાન હાલતમાં જ મોત થયાનું સામે આવતા તત્રં હરકતમાં આવ્યું છે.
બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે છ દિવસ પહેલા બેભાન મળેલા પ્રૌઢનું સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું છે. વૃધ્ધને દાખલ કરવામાં આવ્યા ત્યારે બેભાન હોવાથી તેની ઓળખ થઇ શકી નહતી બાદમાં પોલીસ તપાસ દરમિયાન ઓળખ થતા પ્રૌઢ શહેરના વેલનાથપરા–૧૯માં રહેતા અમરશીભાઇ કાનજીભાઈ સીતાપરા (ઉ.વ.૬૦)ના હોવાનું જાણવા મળ્યું હતું. પ્રૌઢ ગત તા.૧૨ના બપોરે દોઢેક વાગ્યાના અરસામાં બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે આવેલા રાણીમાં ડીમાના મંદિર પાછળથી બેભાન હાલતમાં મળી આવતા ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જેનું સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. મૃતક છૂટક સિકયોરિટી ગાર્ડનું કામ કરતા હતા. પ્રૌઢ છ દિવસ પહેલા બેડીથી સોખડા તરફ હતા ત્યારે તડકાના કારણે બેભાન થઇ ગયા હતા બાદમાં સારવાર દરમિયાન ભાનમાં આવ્યા ન હતા આથી લૂ લાગી જવાથી મોત થયાનું લાગી રહ્યું છે. બનાવથી પરિવારમાં શોક છવાયો છે. જો કે સિવિલ હોસ્પિટલના તબીબોએ પ્રૌઢને લૂં લાગવાથી મોત થયાનું જાણમાં આવ્યું ન હોવાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech